ભારતમાં કોરોના વાયરસના વધતા મામલાના કારણે સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. તેને ફરી એક વખત બદલવામાં આવ્યો છે. સરકારે માસ્ક અને સેનિટાઈઝરને Essential Commodity Act ની લિસ્ટમાંથી હટાવવી લીધું છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના વાયરસના ખતરા બાદ બજારના વલણને જોતા સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ-1955ની અનુસૂચીમાં સંશોધન કરી 2,3 પ્લાઈ સર્જીકલ ફેસ માસ્ક, એન 95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને 30/6/2020 સુધી આવશ્યક વસ્તુ ઘોષિત કરવામાં આવી હતી. તેના કારણે તે સરળતાથી મળી રહેશે અને તેની કાળબજારી રોકાશે. કોવિડ-19ના હાલના પ્રકોપ અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે લોજીસ્ટિક સંબંધી ચિંતાઓને જોતા સરકારે આ નિર્ણય લીધો હતો. કારણ કે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર બજારમાં વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ નથી અથવા તો જેની પાસે છે તેની કિંમતો ખુબ વધારે છે. મંત્રાલયે આપેલા નિવેદન અનુસાર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955ની સુચીમાં સંશોધન કરતા માસ્ક અને સેનિટાઈઝરને તારીખ 30 જૂન, 2020 સુધી આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક વસ્તુના રૂપમાં ઘોષિત કરવાનો આદેશ આપ્યો હતો.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.