ઉત્તરાખંડની સરહદ પર ભભૂકી રહેલી આગની જ્વાળાઓ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરને પણ પોતાની ચપેટમાં લઇ લીધાં છે. આ આગ જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિર સુધી પ્રસરી જતાં ત્રિકુટાની પહાડીઓ આગના ધુમાડાના ગોટેગોટામાં ઢંકાઇ ગઇ હતી અને ભારે ગરમીના કારણે હિમકોટી અને સાંજીછત વચ્ચે આગ લાગી ગઇ છે. ત્યારબાદ વૈષ્ણોદેવી જતા ત્રણ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા અને કટરામાં વૈષ્ણોદેવી યાત્રીઓનું રજિસ્ટ્રેશન અટકાવી દઇને રપથી ૩૦ હજાર યાત્રીઓને વૈષ્ણોદેવી જતા રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે દર્શનાર્થીઓને જણાવ્યું હતું કે જંગલમાં આગ લાગી છે, પરંતુ ટ્રેકને હજુ સુધી નુકસાન પહોંચ્યું નથી. આગ બુઝાવવા માટે ઇન્ડિયન એરફોર્સનાં હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. માત્ર કટરા જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરના રાજોરી વિસ્તારનાં જંગલોમાં પણ આગ પ્રસરી ચૂકી છે. નૌશેરા સેક્ટરમાં આવતા કિલ્લાધરાલનાં જંગલોમાં પણ આગ લાગી છે. વન અને ફાયર બ્રિગેડ વિભાગ આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં વધુ ર૯પ જગ્યાએ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. એકંદરે ઉત્તરાખંડમાં અત્યાર સુધી ૧,૦૦૦થી વધુ સ્થળોમાં જંગલની આગ લાગી ચૂકી છે. મુુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ કબૂલ્યું છે કે અધિકારીઓ આગની આ સ્થિતિનો સામનો કરવા તૈયાર નથી. એસડીઆરએફની ટીમો આગ બુઝાવવાના કામમાં લાગી ગઇ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.