આ વર્ષે પ્રથમ વરસાદ 21 થી 25 મે સુધીમાં થશે. જ્યારે રેગ્યુલર ચોમાસું 22 જુને બેસશે. એકંદરે આ વર્ષ વરસાદની રીતે સારું રહેશે. એવો વર્તારો જૂનાગઢનાં મોહનભાઇ દલસાણીયાએ કાઢ્યો છે. તેમણે વનસ્પતિનાં લક્ષણો, ચૈત્ર માસનાં દનૈયા, હુતાશણી અને અખાત્રીજનાં દિવસનાં પવનો સહિતની બાબતોનાં આધારે આ અનુમાન કર્યું છે. મોહનભાઇ વધુમાં કહે છે કે, આંબામાં પ્રથમ 2 ટકા જ મોર આવતાં બંધારણ સારું છે તેની આગોતરી કેરી બજારમાં આવી અને બજારમાં ખુબજ ઉંચા ભાવે વેચાણી.
ત્યારપછીનો મોર 15 ડિસે. થી ફેબ્રુ.માં આવ્યો અને બંધારણ પણ સારું થયું હતું. વિપરીત અસરથી 15 ડિસે. થી 15 જાન્યુ.નું બંધારણ ખરી ગયું હતું. જ્યારે 15 જાન્યુ. થી 15 ફેબ્રુ.નું બંધારણ ટકી ગયું હતું. એટલે કેરી બજારમાં મોડી આવશે. બોરડી, લીમડા અને સરગવામાં પાછળનું બંધારણ ઘણું સારું હોવાથી લીંબોળી અને સરગવાની સીંગનું ઉત્પાદન સારું છે. વળી એકંદરે દનૈયા 38 થી 42 ડિગ્રી તાપમાને તપેલા છે. આથી પણ વરસાદ સારો થાય. જો દનૈયાના દિવસે આખો દિવસ ઠંડો પવન હોય અને રૂ જેવા સફેદ વાદળો હોય તો દનૈયું ઠંડું અને નિરસ કહેવાય. આ વર્ષે એવું થયું નથી. આથી વરસાદ સારો થવાનાં સંજોગો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.