ભારતમાં (India) કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે 24 કલાકમાં ભારતમાં કોરોનાના 37,724 નવા કેસ નોંધાયા છે અને 648 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે ભારતમાં કોરોના કેસ 12,16,173 લાખને પાર કરી ગયા છે. તેમાંથી 4,17,377 સક્રિય કેસ છે અને 7,68,926 લોકો ચેપ મુક્ત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 29,460 લોકોનાં મોત નીપજ્યાં છે. આ તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Delhi Health Minister) સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે દિલ્હીમાં (Delhi) હવે દર મહિને સીરો સર્વે કરાશે. મહિનાની એકથી પાંચ તારીખ વચ્ચે આ સર્વે કરાશે. વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાશે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેટમાં ઘટાડો આવ્યો છે પણ સીરો સર્વે પ્રમાણે રાજધાનીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ આ બિમારીથી પીડિત છે.
કેન્દ્ર સરકારે (Central government) દેશના 11 સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેરોના કન્ટેન્મેન્ટ ઝોનમાં સેરો સર્વે કર્યો છે. જેનુ પરિણામ બતાવે છે કે, ગુજરાતના (Gujarat)અમદાવાદમાં સૌથી વધુ લગભગ 49 ટકા લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં થયેલા સેરો સર્વેનુ પરિણામ કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કર્યુ છે. જેમાં જાણવા મળ્યુ કે 23.48 ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રેન્ડમ સેમ્પલિંગના આધાર પર સર્વે કરાયો હતો. અમદાવાદમાં 496 ટેસ્ટ થયા જેમાં 48.99 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યુ છે. મુંબઈમાં 495 ટેસ્ટ થયા છે. જેમાં 36.56 % લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. આગ્રામાં 500 ટેસ્ટ થયા જેમાં 22.80 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. પૂણેમાં 504 ટેસ્ટ થયા જેમાથી 19.84 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા.
દિલ્હી સિવાય કેન્દ્ર સરકારે દેશના 11 શહેરોના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો છે. આ તે શહેરો છે જ્યાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. સર્વેનું પરિણામ બતાવે છે કે, અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. અમદાવાદ પછી મુંબઈ અને આગ્રાના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 37 હજાર 724 કેસ સામે આવ્યા છે. સાથે જ 648 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 લાખ 92 હજાર 915 થઈ ગઈ છે. જેમાંથી 4 લાખ 11 હજાર 133 એક્ટિવ કેસ છે. સાથે જ 7 લાખ 53 હજાર 50 લોકો સાજા થઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 28 હજાર 732 લોકોના મોત થયા છે.