જગન્નાથ પુરીની રથયાત્રાન નીકળશે કે નહીં તેને લઈને લોકો અસંજમાં છે ત્યારે સુપ્રિમ કોર્ટની સિંગલ બેંચ 18 જૂનના તેના હુકમમાં સુધારાની માંગ કરતી ચાર અરજીઓની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ વાર્ષિક રથયાત્રા કેસનો ઉલ્લેખ કરતાં કેન્દ્રએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને રથયાત્રા લોક વિના આયોજિત કરી શકાય છે.
સુનાવણીની શરૂઆતમાં કોર્ટે કોરોના વાયરસ મહામરીને કારણે ઓડિશામાં પુરી અને અન્ય સ્થળોએ યોજાનારી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
ઓડિશામાં વાર્ષિક અને પ્રખ્યાત રથયાત્રાને લઈને ઘણાં સંશયવાદ પ્રવર્તે છે. આ અંગે મંદિર સમિતિએ ભક્તો વિના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ કોર્ટે કોઈપણ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સંભળાવ્યો હતો.