પહેલી ઈનિંગમાં મોદી સરકાર દ્વારા સ્વચ્છતા, ગેસ અને વીજળી કનેક્શન પહોંચાડવા પર ફોકસ કર્યુ હતુ. હવે ગામડાઓમાં પાઈપલાઈન થકી પાણી પહોંચાડવાની યોજનાને પ્રાથમિકતા અપાશે તેવી જાહેરાત મોદી સરકારે કરી છે. જોકે આ કામ એટલુ આસન નથી.
નીતિ આયોગની બેઠકમાં પણ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણો મુખ્ય ઉદ્દેશ પાણી સાથે જોડાયેલા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને આ માટે જ જળ શક્તિ મંત્રાલયને જવાબદારી સોંપાઈ છે. અમારૂ લક્ષ્ય 2024 સુધીમાં ગામડાના ઘરોમાં પાઈપ લાઈન થકી પાણી પહોંચાડવાનુ છે.
સૂત્રોનુ કહેવુ છે કે, આ પણ શૌચાલય જેવુ જ લક્ષ્ય છે. 2014માં માત્ર 33 ટકા ટોયલેટ્સ હતા અને 2018માં તે 99 ટકા થઈ ગયા હતા. પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા ગામડાઓમાં જળદૂતો પણ નિમવામાં આવી શકે છે.
નીતિ આયોગની બેઠકમાં પાણીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ માટે પોતાની યોજનાઓને શેર કરી હતી.