લોકસભામાં (Loksabha) શુક્રવારે સભ્યોએ જોરદાર ખળભળાટ મચાવ્યો અને કાર્યવાહી દરમિયાન એક-બીજા પર અત્યંત અમર્યાદિત ટપ્પણી કરી. સભ્યોએ ભાષાની બધી સીમા પાર કરી દીધી હતી. ત્યારબાદ સ્પીકરે (Loksabha Speaker) સભ્યોને ચેતવણી આપી હતી. લોકસભામાં કાલે કરવેરા બિલ પર ચર્ચા શરુ થઇ હતી અને આખી ચર્ચા કોરોના મહામારીને પહોંચી વળવા પીએમ કેરસ ફંડ (PM Cares Fund) પર કેન્દ્રિત થઇ ગઈ અને સત્તા પક્ષ અને વિપક્ષે સંસદમાં અભદ્ર ટિપ્પણીઓથી સત્રને શરમથી પાણી પાણી કરી દીધું હતું.
સદસ્યોએ એકબીજા માટે ગધેડો, ડાકુ, કાલનો છોકરો, લૂંટારુ પરિવાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જેના પર જોરદાર હંગામો થયો અને સત્રની કાર્યવાહી ચાર વખત લગભગ બે કલાક સુધી સ્થગિત રાખવામાં આવી. આ હંગામા વચ્ચે સ્પીકર પર પણ સવાલ ઉઠ્યા ત્યારબાદ સ્પીકરે ચેતવણી આપી અને કહ્યું કે, મારા પર આરોપ લગાવવા યોગ્ય નથી.
ખળભળાટ જોતા ટીએમસીના કલ્યાણ બેનર્જીએ (TMC Member Kalyan Banerjee) સ્પીકર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો તો સ્પીકરે કહ્યું કે, મેં તમામ પક્ષોને સમજાવી દીધા છે. તમામ પક્ષોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ઉભા રહીને પોતાનો મુદ્દો ન રાખે. દરેકને નામ લઈને કહ્યું, આવી સ્થિતિમાં તમને સત્રની બહાર કરવામાં આવશે. તેમ છતાં, આવા આક્ષેપો વાજબી નથી. કોઈ પણ સભ્ય પોતાના મનથી સત્ર ચલાવવાનો પ્રયાસ કરી શકશે નહીં.
કરવેરા બિલ (Tax Bill) પર ચર્ચા દરમિયાન, વિપક્ષના તમામ સભ્યોએ પીએમ કેરસ ફંડ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. વિપક્ષે બિલના પારદર્શિતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પછી, જ્યારે નાણાં રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરની (Minister of State for Finance, Anurag Singh Thakur) બોલવાની વારી આવી તો ત્યારે બિલની આખી ચર્ચા પાટા પરથી ઉતરી ગઈ હતી અને હંગામો શરૂ થયો હતો.