સુંજવાં આર્મી કેમ્પ પર હુમલાના અંદાજે ચાર મહીના બાદ જમ્મૂમાં આતંકીઓ ફરી હુમલો કર્યો છે. આતંકીઓએ જમ્મૂના બસ સ્ટેન્ડ પાસે પોલીસ પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં જેકેપીના બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેની ઓળખ એસપીઓ અજય અને પીએસઓ ઇશરાર શાહ તરીકે કરવામાં આવી છે. આ હુમલામાં એક સામાન્ય નાગરિક પણ ઇજાગ્રસ્ત થયો છે. પોલીસ પર હુમલામાં ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આતંકીઓના હુમલા બાદ બસ સ્ટેન્ડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાદળે આ વિસ્તારને ચારે તરફથી ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ ઘટનાને ત્રણ-ચાર આતંકીઓએ અંજામ આપ્યો છે. બસ સ્ટેન્ડ પર ફસાયેલા યાત્રીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. આતંકીઓ ઘટના બાદ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં રમઝાન મહિનામાં ઓપરેશન ઓલઆઉટ સ્થગિત કરવામાં આવ્યું છે ત્યારે આતંકીઓ ફરી સક્રિય જોવા મળી રહ્યાં છે. જેમાં જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.