કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ ત્રિપલ તલાક નાબૂદ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આ કાયદાના ભંગ બદલ સજા કરવાનો કાયદો પણ મોદી સરકાર લાવવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવા માટેના કાયદાનું બિલ તૈયાર કરવામાં આવ્યુ છે.
ત્રિપલ તલાક સમાપ્ત કરવા માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં કાયદો લાવશે, સરકાર ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઇન મેરિઝ એક્ટના નામથી આ બિલને લાવશે. આ કાયદો માત્ર ત્રિપલ તલાક પર જ લાગુ પડશે આ કાયદા પછી કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રિપલ તલાક આપે તો તે બિન-કાયદાકીય ગણાશે.
આ કાયદો અાવતા ત્રિપલ તલાક કોઈ પણ સ્વરૂપે માન્ય નહીં ગણાય પછીતે મૌખિક હોય કે લેખિત. અેટલું જ નહી જો કોઈ ત્રિપલ તલાક અાપશે તો તેને ત્રણ વર્ષની સજા થશે. કોઈ મહિલાને ત્રિપલ તલાક અાપવામાં અાવશે તો તે મહિલા પોતાનો અને તેના બાળકોનો ભરણ-પોષણનો ખર્ચ તેના પતિ પાસે માંગી શકશે.અા સિવાય બાળકોની કસ્ટડી મુદે પણ જજ સમક્ષ અરજી કરી શકશે.
પી.એમ. નરેન્દ્ર મોદીએ ત્રિપલ તલાક પર કાયદો બનાવવા માટે એક મંત્રી જૂથની રચના કરી છે, જેમાં રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, રવિશંકર પ્રસાદ, પીપી ચૌધરી અને જિતેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.