મદ્રાસ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાને નિર્દેશ આપ્યો છે કે, વર્તમાન ન્યાયધીશ સહિત તમામ વીઆઈપી લોકો માટે અલગથી લેન બનાવવામાં આવે. કોર્ટે કહ્યુ છે કે, એ દુઃખદ છે કે, વીઆઈપી લોકોને અને જજોને ટોલ પ્લાઝા પર રોકવામાં આવે છે. એટલુ જ નહી જજોને ટોલ પ્લાઝા પર દસથી પંદર મીનીટ સુધી અટકવા માટે મજબુર કરવામા આવશે. જસ્ટીસ હુલુવાડી જી. રમેશ અને એમ.વી. મુરલીધરને એક વચગાળાનો આદેશ જારી કરતા કહ્યુ હતુ કે, વીઆઈપી લોકો માટે અલગથી લેન બનાવવામાં આવે કે જેથી તેઓને કોઈ અડચણ ન પડે. કોર્ટે કહ્યુ છે કે આ આદેશનું પાલન નહી કરવાને ગંભીરતાથી લેવામાં આવશે. લાર્સન એન્ડ ટુબ્રો સહિત અનેક અરજીઓ પર સુનાવણી કરતા બેન્ચે આ નિર્દેશ જારી કર્યો છે. કોર્ટે કહ્યુ હતુ કે જ્યાં સુધી વીઆઈપી લોકો માટે અલગથી ટોલ પ્લાઝા નહી બને ત્યાં સુધી બીનજરૂરી રીતે તેઓને પરેશાનીનો સામનો કરવો પડશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.