જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં જે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેનું એક ઉદાહરણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના બસોથી પણ વધુ જેટલા રેલવે અને લક્ઝરી બસના ટ્રાવેલ એજન્ટોએ પોતાના તમામ ટૂર પેકેજીસ માંથી કાશ્મીર ટુર પેકેજ કાઢી અને આવનારા પાંચ વર્ષ માટે કાશ્મીર ટુરનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભારત સરકારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડું પાડી દેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. સૌરાષ્ટ્રમાં લકઝરી બસ ટ્રાવેલ્સ અને રેલવેના એજન્ટોએ ગઈકાલે યોજાયેલી મિટિંગમાં ભેગા મળી અને કાશ્મીર ટુરનો બહિષ્કાર કર્યો હોવાનું નક્કી કર્યું છે
રેલવેના ૭૦ જેટલા અને લક્ઝરી બસના ૧૭૦ જેટલા ભેગા મળી અને આવનારા પાંચ વર્ષ સુધી કાશ્મીર ટૂર નો સતત બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
એસોસિએશન ના સેક્રેટરી અભિનવ પટેલ કહે છે કે, તેમણે મિટિંગમાં નક્કી કર્યું છે કે તેમના તમામ ટુર પેકેજિસમાંથી કાશ્મીર ટુર પેકેજ કાઢી નાખશે રેલ્વે કે બસ દ્વારા કોઈપણ પ્રકારે કાશ્મીર ટુર પેકેજ બુક કરાવશે નહિ.
આ બાબતની જાણ થતાં કાશ્મીરના એજન્ટોએ સૌરાષ્ટ્ર ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન ના સભ્યોનો સંપર્ક કરી પ્રવાસીઓની સુરક્ષાની બાંહેધરી આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર ના ટ્રાવેલ્સ એજન્ટોએ સ્પષ્ટતા કરી હતી કે ‘અમે સુરક્ષા ના કારણો કરતાં ભારતીય સૈનિકો ઉપર જે હુમલો થયો છે. તેના વિરોધ માં કાશ્મીર ટુરનો બહિષ્કાર કર્યો છે.