ઉત્તરપ્રદેશના , જસવંતનગરના આગ્રા-ઇટાવા રોડ પર શનિવારે વહેલી સવારે પાછળથી એક ટ્રક રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એટલો ગમખ્વાર હતો કે ટ્રક ચાલક અને ટ્ક કિલનર બંને ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈટાવાથી આગ્રા જઈ રહેલી રોડવેઝની બસ શનિવારે વહેલી સવારે લગભગ 4 વાગે જશવંતનગરના જમુના બાગ પાસે ખરાબ થઇ ગઇ હતી. જે દરમિયાન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડ્રાઈવરે બસમાં સવાર મુસાફરોને બીજી બસમાં મોકલી દીધા હતા. આ પછી ડ્રાઈવર પ્રદીપ અને કન્ડેકટર સિયાઝુદ્દીન બસની પાછળ ગયો અને બસમાં ખામી જોઇ રહ્યા હતા તે.
દરમિયાન શનિવારે વહેલી સવારે યમરાજ બની પૂરઝડપી આવી રહેલા ટ્રકે રોડ પર ઉભેલી બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં પાછળ ઉભેલા બસ ના કન્ટડેકટર અને ડ્રાઇવરનો કરૂણ મોત નિપજ્યો હતુ સિયાઝુદ્દીન (60) પુત્ર શહાબુદ્દીન નિવાસી ભાંડો કા ચોક ફિરોઝાબાદ અને ટ્રક ડ્રાઈવર પ્રદીપ કુમાર (35) પુત્ર જગદીશ પ્રસાદ નિવાસી રાયપુરા રોડ શ્રીરામ ફિરોઝાબાદનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે એક બેકાબૂ ટ્રકે પહેલાથી જ પાર્ક કરેલી બસને ટક્કર મારી, જેમાં બે લોકોના મોત થયા. અકસ્માતથી એક્સપ્રેસ વે પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.