રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે 2:26 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, રાહતની વાત તે છે કે, અત્યાર સુધી કોઈપણ રીતના જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. જણાવી દઈએ કે, મોડી રાત્રે જ્યારે ધરતી હચમચી તો લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યાં હતા.
An earthquake with a magnitude of 4.6 on the Richter Scale hit Jalore, Jalore today at 2:26 am, according to National Centre for Seismology
Image Source: National Center for Seismology pic.twitter.com/pNFoyDyaPH
— ANI (@ANI) November 19, 2021
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6 તીવ્રતાનું ભૂકંપ આવ્યું. હાલમાં તેના કેન્દ્ર અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે. ભૂકંપની કોઈપણ રીતના નુકશાનના સમાચાર મળ્યા નથી. જાણકારી અનુસાર મોડી રાત્રે બે વાગીને 26 મીનિટે આવેલા ભૂકંપના આંચકાથી લોકોની ઉંઘ ઉડી ગઈ હતી.