હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે અને મોટાભાગના દેશોમાં લોકડાઉનમાં ચાલી રહ્યું છે કારણે વિશ્વની સાથે સાથે ભારતને પણ આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં યુ.એન.ની રિપોર્ટ સામે આવી છે જેનાથી દેશની મુશ્કેલી વધી શકે છે. લોકડાઉનનો સામનો કરી રહેલા દેશને નરેન્દ્ર મોદી સરકાર આર્થિક મંદીથી બચાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. જો કે, આ પ્રયાસ પછી પણ, કોરોનાની ખરાબ અસર દેશના અર્થતંત્ર પડશે તે નક્કી છે. યુએનના રિપોર્ટ અનુસાર, લગભગ 10 કરોડ લોકો કોરોનાને કારણે ગરીબી રેખા નીચે જશે. આનું સૌથી મોટું કારણ આખા દેશમાં આર્થિક પ્રવૃતિઓ સંપૂર્ણ બંધ હોવાનું કહેવાય છે. ભારતમાં આશરે 60 ટકા વસ્તી એટલે કે 81 કરોડ 12 લાખ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. જો આવું થશે તો ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 90 કરોડને વટાવી જશે. આ શોઘમાં તેનું કારણ કોરોના વાયરસથી ઉત્પન્ન થતી પરિસ્થિતિને આભારી છે. જે 60 ટકા ભારતીયો હજી ગરીબી રેખાની નીચે જીવે છે તે 68 ટકા સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઇએ કે એક દાયકા પહેલા ભારતની આ સ્થિતિ હતી, પરંતુ સરકારના પ્રયત્નો પછી ગરીબી રેખામાંથી બહાર આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.