NRI બનીને ટેક્સનાં અવકાશમાં આવવાથી બચતા લોકો માટે નરેન્દ્ર મોદી સરકારે આયકર નિયમોમાં બદલાવ કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક દુનિયામાં ક્યાંય પણ ટેક્સ ચૂકવતો નથી તો તેણે ભારતીય નાગરિક માનવામાં આવશે અને અહીંયા તેણે દુનિયાભરમાંથી કરેલી કમાણી ઉપર ટેક્સ લેવામાં આવશે.
હાલની વ્યવસ્થામાં જો કોઈ ભારતીય નાગરિક ભારતમાંથી 182 દિવસો કરતાં વધારે દુનિયાનાં અન્ય દેશોમાં રહે છે તો તે નોન રેઝીડેન્ટ ઈન્ડિયન બની જાય છે. પરંતુ બદલાયેલી વ્યવસ્થામાં જો કોઈ ભારતીય નાગરિક નોન રેઝિડેન્ટ સ્ટેટસનો ફાયદો લેવા માગે છે તો તેણે ભારતમાં એક વર્ષમાં 120 દિવસ કરતાં વધારે રહેવું પડશે. બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યુ છેકે, એક ભારતીય નાગરિકને NRI બનવા માટે તેણે ભારતમાંથી 240 દિવસ બહાર દુનિયાનાં બીજા દેશોમાં રહેવું પડશે.
નવી સિસ્ટમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો ભારતીય નાગરિક વિશ્વના કોઈ પણ દેશનો નાગરિક નથી, તો તે ભારતનો રહેવાસી (નાગરિક) માનવામાં આવશે અને તેની વિશ્વવ્યાપી આવક (વૈશ્વિક આવક) પર ભારતમાં ટેક્સ વસૂલવામાં આવશે. હકીકતમાં, નાણાં મંત્રાલયે શોધી કાઢયું છે કે એવા ઘણા લોકો છે કે જેઓ દુબઈ જેવા શહેરોમાં પોતાનો સમય વિતાવે છે જ્યાં ઝીરો ટેક્સ લાદવામાં આવે છે. ટેક્સ નિષ્ણાંતોનું માનવું છે કે સરકારનું આ પગલું માત્ર કર બચાવવા માટે ભારતની બહાર રહેનારા ભારતીયો માટે આંચકો છે.