આવતા વર્ષ 2021ના પહેલા દિવસથી જ બેન્કોમાં ચેક દ્વારા ચૂકવણી કરવાની સિસ્ટમમાં ફેરફાર આવી રહ્યા છે. અત્યારે કોઇ વ્યક્તિ જેને પૈસા ચૂકવવાના હોય તેને ચેક આપી દે છે. પહેલી જાન્યુઆરીથી ચેક દ્વારા ચૂકવણીની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર આવી રહ્યા હતા. એ દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ગણાય. એને પોઝિટિવ પે સિસ્ટમ નામ અપાયું હતું.
ચેક રજૂ કરનાર વ્યક્તિ એ જ છે જેના નામે ચેક લખવામાં આવ્યો છે
ખાસ કરીને પચાસ હજાર રૂપિયાથી વધુ રકમનું પેમેન્ટ કરવાનું હોય ત્યારે મહત્ત્વપૂર્ણ માહિતી આપવાની જરૂર પડશે. એ માટે ચેક આપનાર વ્યક્તિએ એસએમએસ, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ કે એટીએમ જેવા માધ્યમ દ્વારા ચેકને લગતી વધારાની માહિતી આપવાની રહેશે. જે પાર્ટીના નામે ચેક આપવામાં આવ્યો હોય એને રકમ ચૂકવવા પહેલાં બેંક જેને ચૂકવણી કરવાની હોય એનું નામ અને ચેકમાં લખેલી રકમ વિશે વધુ એક વાર પૂછપરછ કરીને પાકું કરશે કે ચેક રજૂ કરનાર વ્યક્તિ એ જ છે જેના નામે ચેક લખવામાં આવ્યો છે. આ રીતે સિક્યોરિટી વધારવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી.
જે ખાતાધારકને આ સગવડ જોઇતી હોય એ બેંક પાસે આ સગવડ માગી શકશે
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે આ જોગવાઇ જો કે હાલ ફરજિયાત નહીં રહે. જે ખાતાધારકને આ સગવડ જોઇતી હોય એ બેંક પાસે આ સગવડ માગી શકશે. આમ છતાં પાંચ લાખ કે તેથી વધુ રકમના ચેક માટે આ સિસ્ટમ ફરજિયાત થશે. ખાસ કરીને મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓની સિક્યોરિટી આ સગવડથી વધશે એવી આશા રખાઇ રહી હતી.
તમારા ગ્રાહકોને આ સુવિધા વિશે એસએમએસથી જાણ કરો
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ બેંકોને કહ્યું હતું કે તમારા ગ્રાહકોને આ સુવિધા વિશે એસએમએસથી જાણ કરો. તમારી તમામ શાખાઓમાં વેબસાઇટ પર અને ઇન્ટરનેટ બેંકિંગની સુવિધામાં પણ આ વાતની જાણ ખાતેદારોને કરો. પહેલી જાન્યુઆરીથી આ જોગવાઇ પોઝિટિવ પે સિસ્ટમ અમલમાં આવશે.