નવા વર્ષની ઉજવણી પર શ્રી માતાવૈષ્ણોદેવી દર્શનાર્થે ભક્તો કટરા પહોંચ્યા હજારો લોકોની આશાઓ પર તે સમયે પાણી ફરી ગયું જ્યારે દર્શનાર્થીઓની સંખ્યા 50 હજારની પાર થતા તેમને રોકવામાં અાવ્યા.આ દરમિયાન 49 હજાર 907 દર્શનાર્થીઓને મંદિરમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. હકીકતમાં, છેલ્લા મહિનામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા માતા વૈષ્ણોદેવીના મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરવા આદેશ આપ્યો હતો. આદેશ હેઠળ એક દિવસમા માત્ર 50 હજાર શ્રદ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
માતા વૈષ્ણોદેવી મંદિરમાં આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં દર્શન કરવા અાવતા શ્રદ્ધાળુઓના આંકડા 81 લાખ 71 સુધી પહોંચ્યો હતો જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે. અધિકૃત આંકડા અનુસાર વર્તમાન વર્ષમાં દર્શનાર્થીઓની સંખ્યા 80 લાખથી વધારે છે જે ગયા વર્ષની સરખામણીમાં ત્રણ લાખ વધુ છે અને ત્રણ વર્ષની તુલનામાં સૌથી વધુ છે. વર્ષ 2016માં કુલ 77 લાખ 23 હજાર 721 શ્રદ્ધાળુ અને વર્ષ 2015માં 77 લાખ 76 હજાર 604 શ્રદ્ધાળુઅોએ માતાના ચરણોમાં મસ્તક નમાવી દર્શન કર્યા હતા.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા આદેશ આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે માતા વૈષ્ણોદેવીના મંદિરમાં હવે માત્ર 50 હજાર શ્રદ્ધાળુઓને જ દર્શન કરવાની પરવાનગી આપવામાં આવશે. એનજીટીએ તેમના આદેશમાં આ પણ જણાવ્યું હતું કે, જો શ્રાઇન બોર્ડને અાનાથી વધારે શ્રદ્ધાળુઓના યાત્રામાં પ્રવેશની માહિતી મળી આવીતો વધારાના શ્રદ્ધાળુઓને કટરા અને અર્ધકુવારીમાં જ અટકાવવામાં અાવશે તેની સાથે જ એનજીટીએ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ કોમ્પ્લેક્સમાં કોઈ પણ પ્રકારનું નવું નિર્માણ અટકાવવાનું પણ સૂચન કર્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.