વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલે વારાણસી બેઠકથી ઉમેદવારી પત્રક ભરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચન કરશે. જે બાદ વિરોધીઓને જવાબ આપવા માટે વારાણસીમાં 10 કિલોમીટર લાંબો રોડ શો કરશે. ત્યારે પીએમ મોદીનું ચૂંટણી કાર્યાલય રવિન્દ્રપુરી વિસ્તારમાં શરૂ થવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલે વારાણસી બેઠકથી ઉમેદવારી પત્રક ભરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચન કરશે. જે બાદ વિરોધીઓને જવાબ આપવા માટે વારાણસીમાં 10 કિલોમીટર લાંબો રોડ શો કરશે. ત્યારે પીએમ મોદીનું ચૂંટણી કાર્યાલય રવિન્દ્રપુરી વિસ્તારમાં શરૂ થવાનું છે.
મહત્વપૂર્ણ છે કે, 2014માં મુરલી મનોહર જોષીએ નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી હતી. 2014માં અરવિંદ કેજરીવાલે પણ વારાણસી બેઠક પરથી ઉમેદવારી કરી હતી. જોકે, દેશમાં મોદી વેવના કારણે કેજરીવાલની કારમી હાર થઈ હતી. આ પહેલા 2009મા મુરલી મનોહર જોષીએ બસપાના મુખ્તાર અંસારીને જંગી મતથી હરાવ્યા હતા.