West Bengal: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાદિયાના કૃષ્ણનગરમાં પશ્ચિમ બંગાળને રૂ. 15,000 કરોડની યોજનાઓ ભેટમાં આપતાં કહ્યું હતું કે આનાથી પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ મળશે.
West Bengal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાદિયાના કૃષ્ણા નગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 15 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. તેમણે કહ્યું કે વીજળી, રસ્તા અને રેલ્વેની વધુ સારી સુવિધાઓ પશ્ચિમ બંગાળના લોકો માટે જીવન સરળ બનાવશે. આ વિકાસ કાર્યો પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ આપશે.