સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે કોર્ટ કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને નિર્દેશ આપે કે તેઓ તપાસમાં સહયોગ કરે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં મંગળવાર એટલે કે આજે સુનવણી કરશે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ સીબીઆઈના અધિકારી શારદા ચિટફંડ કૌભાંડથી સંબંધિત પૂછપરચ્છ માટે રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા પરંતુ તેમને ઘરમાં ઘૂસવા દીધા નહોતા અને મારામારી બાદ સીબીઆઈ ઓફિસરોને થોડાંક સમય માટે કસ્ટડીમાં લેવાયા.
સીબીઆઈ એ પોતાની અરજીમાં આરોપ મૂકયો છે કે રાજીવ કુમારે અત્યાર સુધી તપાસમાં કોઇ સહયોગ કર્યો નથી. સાથો સાથ રાજીવ પર એ પણ આરોપ છે કે તેમણે કૌભાંડ સાથે જોડાયેલા પુરાવાને નષ્ટ કર્યા. આ કેસ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે જો કોલકત્તા પોલીસ કમિશનરે પુરાવા નષ્ટ કરવાની કોશિષ કરી છે તો તેના પુરાવા રજૂ કરો એવી કાર્યવાહી કરીશું કે તેમને પસ્તાવું પડશે.
સીબીઆઈના પક્ષમાં સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને હાજર કર્યા હતા. તેમણે રવિવારના ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વેસ્ટ બંગાળ પોલીસ દ્વારા સીબીઆઈના જોઇન્ટ કમિશનરના ઘર પર પહેરો લગાવીને તેમણે અને તેમના પરિવારને બંધક બનાવી લીધા હતા. પછી સીબીઆઈના અંતરિમ ડાયરેકટર દ્વારા કેટલાંય ફોન કોલ કર્યા બાદ ફોર્સને ત્યાંથી હટાવી દેવામાં આવી.
સોમવારના રોજ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે પુરાવાની સાથે છેડછાડ કર્યા હોય તેના કોઇ પુરાવા રજૂ કર્યા નથી. જો તમે રાજીવ કુમારની વિરૂદ્ધ કોઇ પુરાવા લાવો છો તો અમે એવી કાર્યવાહી કરીશું કે તેમને પસ્તાવું પડશે.