પંજાબના મોહાલીથી એક હેરાન કરી નાંખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં ડેરાબસ્સી સ્થિત ઇંડસ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં મહિલાના શબને ઉંદરો ખાઈ જવાની ઘટના બની છે. ત્યાં ખવાઈ ગયેલું તૂટેલું ફૂટેલું શબ જોઈને પરિવારનાસભ્યોએ ખૂબજ બબાલ મચાવી દીધી હતી. પરિવારજનોએ વહિવટીતંત્ર પર લાપરવાહી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. જાણકારી મુજબ હાર્ટ સર્જરી માટે 51 વર્ષીય જસજોત કૌરનું ઓપરેશન પહેલા જ મોત થઈ ગયું હતું. આ પછી શબને હોસ્પિટલની ડેડબોડી વિભાગમાં રાખવામાં આવ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે સારવારમાં કરેલી લાપરવાહીને કારણે મહિલાનું મોત થઈ ગયું. શુક્રવારે જ્યારે શબ લેવા માટે પહોંચ્યા તો મૃતક મહિલાના હોઠ અને કાનને ઉંદરોએ કાતરી નાંખ્યા હતા. ગુસ્સામાં આવેલા પરિવારજનોએ હંગામો મચાવી દીધો હતો. પંચકુલા સેક્ટર 26 નિવાસી રિટાયર્ડ કર્નલ અમરજિતસિંહે જણાવ્યું કે 29 જુલાઈએ તેમની પત્ની જસજિત કૌરને હાર્ટ સર્જરી માટે ઈંડસ ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ઓપરેશન પહેલા જ ગુરુવારે સવારે જસજોતનું મોત થઈ ગયું હતું. અમરજીતે જણાવ્યું કે તેમની પત્નીની હાલત એટલી બધી ખરાબ નહોતી કે તે એકાએક દમ તોડી દે. તેમણે સારવારમાં લાપરવાહીનો આરોપ હોસ્પિટલ પર લગાવ્યો હતો. અમરજીતસિંહે જણાવ્યું કે જ્યારે બોડી શબ ઘરમાં રખાવ્યું હોત તો ઠીક હતું. પરંતુ શુક્રવારે બપોરે જ્યારે બોડી જોયું તો શરીરમાંથી લોહી નીકળતું હતું. કપડું હટાવીને જોયું તો જસજોતનો ડાબો કાન અને હોઠ કપાયેલો હતો. તેનો ચહેરો જોઈને દરી ગયા અને એકદમ આઘાતમાં આવી ગયા તેમણે કહ્યું કે શબઘરમાં રાખવા માટે 3,500 રૂપિયા આપ્યા હતા. પરંતુ બોડીને ફ્રીજરમાં યોગ્ય ટેમ્પરેચર પર નહોતું રખાયું. જેનાથી ઉંદરોએ આ હાલત કરી દીધી છે. પરિવારજનોની બબાલ બાદ પોલિસ સમયસર પહોંચી. સાથે જ સ્થાનિક પ્રશાસક નવપ્રીતસિંહ ગીલને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. નવપ્રિતસિંહે તપાસ કરતાં સામે આવ્યું કે બોડીને ઉંદરોએ જ ડેમેજ કરી હતી. સામે ડોક્ટરોએ કહ્યું કે તે પણ આ ઘટનાની પોતાના તરફથી અલગથી તપાસ કરાવશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.