નવી દિલ્હી: કોવિડ-19ના નવા વેરિએન્ટ Omicronને જોતા દિલ્હી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા વેરિએન્ટ Omicron માટે ડેડિકેટેડ હોસ્પિટલ બનાવી દીધી છે. આ હેઠળ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે એલએનજેપીમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી છે. કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઘણા દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. શા માટે આપણે વિલંબ કરી રહ્યા છીએ? પ્રથમ વેવમાં પણ આપણે વિદેશી ફ્લાઈટ્સ રોકવામાં વિલંબ કર્યો હતો. સૌથી વધુ વિદેશી ફ્લાઈટ્સ દિલ્હી આવે છે, દિલ્હી સૌથી વધુ પ્રભાવિત છે. પીએમ સાહેબ પ્લીઝ તરત જ ફ્લાઈટ્સ બંધ કરો.
कई देशों ने ऑमिक्रान प्रभावित देशों से आने वाली उड़ानें बंद कर दी हैं। हम देरी क्यों कर रहे हैं? पहली वेव में भी हमने विदेशी उड़ानें रोकने में देरी कर दी थी। अधिकतर विदेशी उड़ानें दिल्ली में आती हैं, दिल्ली सबसे ज़्यादा प्रभावित होती है। PM साहिब कृपया उड़ानें तुरंत बंद करें https://t.co/A3a1QKz7pz
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 30, 2021
આ પહેલા દિલ્હીના સીએમએ નવા વેરિઅન્ટના મુદ્દે પીએમને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે આપણે બધાએ કોરોનાના નવા પ્રકારને ભારતમાં પ્રવેશતા રોકવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ. યુરોપ સહિત ઘણા દેશોએ કોરોનાના નવા પ્રકારથી પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પણ આ પ્રકારથી પ્રભાવિત સ્થળોએથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ બાબતે થોડો પણ વિલંબ ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.