કારગીલ યુદ્ધનો દિવસ હિન્દુસ્તાનના દરેક લોકોના દિલમાં વિજયનો અહેસાસ કરાવે છે. કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર સપુતોની કેટલીક યાદો આપણી આંખો આજે પણ ભીંજવી નાખે છે. આખા ભારતભરમાં કારગીલ દિવસને સલામી આપતા ઉત્સાહ પૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. 26 જુલાઈના રોજ કારગીલ યુદ્ધને 19 વર્ષ પૂરા થાય છે. ત્યારે એ દિવસે સમગ્ર દેશભરમાં કારગીલ યુદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 8 મે 1999મા 18,000 હજાર ફૂંટની ઊંચાઈ પરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાગિલ યુદ્ધ થયું હતું. વર્ષ 1998મા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરિફ અને લશ્કરના વડા જહાંગીર કરામાત વચ્ચે ભેદભાવો વધ્યા હતા. મતભેદ એટલા માટે વધ્યા હતા કે જહાંગીર કરામાતની નિવૃતિ પછી પણ તેમને લશ્કરના ચીફ રાખવામાં આવ્યા હતા. તે બાબતે ચર્ચાનું વેગ પકડ્યું હતું જેના કારણે નવાઝ શરીફે સામાન્ય સભામાં જહાંગીર કરામાત પર ટિપ્પણીઓ કરી હતી. જાહેર સભામાં નવાઝ શરીફના ટિપ્પણીઓ બાદ જહાંગીર કરામાતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જહાંગીર કરામાતના રાજીનામા પછી જનરલ પરવેઝ મુશરફને આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી પણ જહાંગીર અને પરવેઝ મુશરફ વચ્ચે વિવાદ ચાલુ રહેતા જનરલ પરવેઝ મુશરફ રાષ્ટ્રપતિ બની ગયા હતા. તે વખતે વર્ષ 1999મા ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.