આંતરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના નેતા રંજીત બચ્ચનની લખનઉમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રંજીત લખનઉના હજરતગંજમાં સવારે મોર્નિગ વોક પર નિકળ્યા હતા. ત્યારે કેટલાક બાઈક સવારોએ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે, ઘટના સ્થળે જ તેમનું મોત થઈ ગયું.
રંજીત બચ્ચન હજરતગંજના ઓસીઆર બિલ્ડીંગમાં રહેતા હતા, તેઓ મૂળ રૂપથી ગોરખપુરના રહેવાસી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રંજીત રવિવારે સવારે 6 વાગે પોતાના દોસ્તો સાથે વોક કરવા માટે નિકળ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. ઘટનામાં તેમના દોસ્તોને પણ ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે.
ડીસીપી સેન્ટ્રલ લખનઉ દિનેશ સિંહે જણાવ્યું કે, હાલમાં કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસ માટે એક અલગ ટીમ પણ બનાવી દેવામાં આવી છે.