એક અલૌકિક ઘટના બની છે અને એક નવો ધૂમકેતુ ‘નિયોવાઇઝ’ દ્રશ્યમાન થઈ રહ્યો છે. હવે પછી આ ધૂમકેતુ 6867 વર્ષો બાદ સૂર્યની નજદીક આવશે અને પૃથ્વી ઉપરથી દ્રશ્યમાન થશે. આ ધૂમકેતુ આ દાયકાનો સૌથી તેજસ્વી પૂંછડીવાળો તારો છે. ધૂમકેતુ પૃથ્વીની સૌથી નજીક આવશે અને આકાશમાં સૂર્યાસ્ત પછી નરી આંખો નિહાળી શકાશે. તારાઓ આપણે રોજ ઉગતા અને આથમતા જોઇએ છીએ, ધૂમકેતુએ કવચિત નજરે પડતો આકાશી જયોતિ છે. એ અચાનક જ દેખાય છે. ધૂમકેતુ – પૂછડીઓ તારો એ આકાશનું અદ્ભૂત દ્રશ્ય છે. પણ એ ઓચિંતો નજરે પડે છે. ત્યારે ન કલ્પેલી લાંબી એની પુછડી જોઇ લોકો ભય પામી અનેક કુશંકાઓ દ્વારા અમંગળ ઘટનાની આગાહી કરે છે. પણ એ માત્ર અંધશ્રદ્ધા છે. આપણા આકાશમાં નજરે પડતા ગુરૂ, મંગળ, શની અને શુક્ર વગેરે ગ્રહોની જેમ ધૂમકેતુ એ પણ આપણી સૂર્યમાળાનો જ એક સભ્ય છે. આ સમયે આ ધૂમકેતુને ઉત્તર – પશ્ચિમ દિશામાં એટલે કે વાયવ્ય ખૂણામાં સૂર્યાસ્ત બાદ એક કલાક સુધી સપ્તષિ તારા મંડળ પાસે ચમકતિ પુછડી સાથે જોઇ શકાશે. કલાકના 2900 કિલોમીટરની ઝડપે સૂર્યની પ્રદક્ષીણા કરતો આ ધૂમકેતુની પૂંછડીની લંબાઇ પાંચ કરોડ કિલોમીટર હોવાનો અંદાજ છે.તા. 18 જુલાઇના રોજ આ ”નિયોવાઇઝ” ધૂમકેતુને લાંબી પુછડી સાથે જામનગર શહેરમાંથી ખગોળવિદ દ્વારા નિહાળવવામાં આવ્યો હતો. ખગોળ મંડળ – જામનગર દ્વારા જયારે પણ આવી અવકાશી ઘટના હોય છે, ત્યારે અવલોકન માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. હાલની પરિસિૃથતિને કારણે જાહેર અવલોકન રાખવામાં આવેલ નથી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.