IRCTC એ આજથી બદલ્યા છે ટિકિટ બુકિંગના આ 2 નિયમો

Roshani Thakkar
3 Min Read

IRCTCના નવા નિયમ ઓનલાઈન અને ઑફલાઈન બંને બુકિંગ માટે લાગુ પડશે

IRCTC: ભારતીય રેલવે દ્વારા 15 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત OTP ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નિયમ ઓનલાઈન અને ઑફલાઈન બંને બુકિંગ માટે લાગુ પડશે.

IRCTC: ભારતીય રેલવે દ્વારા તમામ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમનું ઉદ્દેશ્ય તત્કાલ ટિકિટ બુકિંગમાં થતો દુરુપયોગ અટકાવવાનો અને સામાન્ય મુસાફરો માટે ટિકિટ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.

નવો નિયમ આજથી એટલે કે 15 જુલાઈ 2025થી અમલમાં આવ્યો છે. હવે તમે:

  • ઓનલાઇન (IRCTC વેબસાઈટ કે એપ મારફતે)

  • અથવા ઑફલાઈન (PRS કાઉન્ટર કે અધિકૃત એજન્ટ મારફતે)

કોઈ પણ રીતે તત્કાલ ટિકિટ બુક કરો, તમારું આધાર નંબર અને તેના પર આવેલ ઓટીપી દ્વારા ઓળખ પામવી ફરજિયાત રહેશે.

IRCTC

આ બદલાવ ટ્રાવેલ એજન્ટો દ્વારા થતા કૃતિમ બુકિંગને રોકવા અને સામાન્ય યાત્રિકોને યોગ્ય તક આપવા માટે છે.

આધાર ઓથન્ટિકેશન હવે ફરજિયાત

આજથી તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત OTP ઓથન્ટિકેશન ફરજિયાત થઈ ગયું છે. ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરતા યાત્રિકોએ બુકિંગ દરમિયાન પોતાના આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર આવેલ એકવખત પાસવર્ડ (OTP) દાખલ કરવો ફરજિયાત રહેશે.

એક દિવસ પહેલાની બુકિંગની સગવડ

  • AC ક્લાસ (જેમ કે 1A, 2A, 3A, CC, EC) માટે તત્કાલ ટિકિટ યાત્રા પહેલા એક દિવસ પહેલાં સવારે 10:00 વાગ્યાથી બુક કરી શકાય છે.

  • વગર-AC ક્લાસ (જેમ કે સ્લીપર અને સેકન્ડ સિટિંગ) માટે તત્કાલ ટિકિટ સંબંધિત યાત્રા દિવસે સવારે 11:00 વાગ્યાથી બુક કરી શકાય છે.

આ નિયમોનું પાલન કરી, યાત્રિકો વધુ સરળ અને સુરક્ષિત રીતે તત્કાલ ટિકિટ બુકિંગનો લાભ લઈ શકશે.

કાઉન્ટર અને એજન્ટ દ્વારા આધાર OTP વેરિફિકેશન હવે ફરજિયાત

TAGGED:
Share This Article