૨૫ ઓગસ્ટ પહેલા ડેટા બેકઅપ લેવાની ભૂલ ન કરતા! વાયરલ દાવાની પીઆઈબી (PIB) ફેક્ટ ચેકે ખોલી પોલ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક અફવા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને કારણે લાખો યુઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાં ભારે ચિંતા અને અસમંજસનો માહોલ સર્જાયો છે. આ વાયરલ દાવામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર આગામી ૨૫ ઓગસ્ટથી દેશભરમાં ફેવરિટ ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સંપૂર્ણ પ્રતિબંધ (Ban) લગાવવા જઈ રહી છે.
પરંતુ, જો તમે પણ આવા કોઈ મેસેજ કે પોસ્ટ જોઈને ચિંતિત થયા હોવ, તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારત સરકારે આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇન્સ્ટાગ્રામ પર બેન મૂકવાનો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી અને દેશના નાગરિકોને આવી ફેક ન્યૂઝ કે અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે.
सोशल मीडिया पर एक पोस्ट साझा कर दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 25 अगस्त 2026 की रात से भारत में #Instagram पर प्रतिबंध लगा दिया जाएगा।#PIBFactCheck
❌ यह दावा #फर्जी है।
✅ भारत सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है।
⚠️कृपया सतर्क रहें और ऐसे भ्रामक दावों के… pic.twitter.com/6v9Dz8bdUV
— PIB Fact Check (@PIBFactCheck) July 27, 2026
પીઆઈબી ફેક્ટ ચેકે ખોલી વાયરલ દવાની પોલ
સોશિયલ મીડિયા પર આ અફવા એટલી હદે ફેલાઈ ગઈ હતી કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ‘ફેક્ટ ચેક’ ટીમને સામે ચાલીને સ્પષ્ટતા કરવી પડી હતી. PIB Fact Check એ પોતાના ઓફિશિયલ ‘X’ (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને આ વાયરલ મેસેજનું સત્ય દેશ સામે મૂક્યું હતું.
પીઆઈબી ફેક્ટ ચેકે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું: “સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરાયો છે કે ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે. PIBFactCheck: આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.”
સરકારી એજન્સીએ યુઝર્સને સલાહ આપી છે કે આવી બાબતોમાં માત્ર અધિકૃત અને સરકારી સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો અને કોઈ પણ ચકાસણી વગર સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાથી બચવું.
અફવા ફેલાતા જ નેટીઝન્સ અને યુઝર્સમાં મચી ગઈ અફરાતફરી
જેવી આ અફવા ફેસબુક, વોટ્સએપ અને એક્સ પર વાયરલ થઈ, કે તુરંત જ લોકોની પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો. મેટા (Meta) કંપનીની આ લોકપ્રિય એપ પર લાખો યુવાનો, વેપારીઓ અને ઈન્ફ્લુએન્સર્સ નિર્ભર છે. ઘણા લોકોએ તો ભયના માર્યા એવા મેસેજ પણ સરક્યુલેટ કરવાનું શરૂ કરી દીધું હતું કે “૨૫ ઓગસ્ટ પહેલાં તમારો તમામ ડેટા, ફોટોઝ અને રીલ્સ ડાઉનલોડ કરીને બેકઅપ લઈ લો, નહીંતર બધું જ ડિલીટ થઈ જશે.”
પરંતુ હકીકત એ છે કે ભારત સરકારના આઈટી મંત્રાલય (MeitY – Ministry of Electronics and Information Technology), મેટા કંપની કે અન્ય કોઈ સરકારી સંસ્થા દ્વારા ઇન્સ્ટાગ્રામ બંધ કરવા અંગેનો કોઈ પણ પરિપત્ર, આદેશ કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આ માત્ર ને માત્ર ડિજિટલ સ્પેસમાં સન્સનીટી અને વ્યુઝ મેળવવા માટે ફેલાવવામાં આવેલી એક અફવા જ હતી.
આજના ડિજિટલ યુગમાં અફવાઓથી કેવી રીતે બચવું?
આજકાલ સોશિયલ મીડિયા પર કોઈપણ ચકાસણી વગર સનસનાટીભર્યા અહેવાલો વાયરલ કરી દેવામાં આવે છે. પીઆઈબી (PIB) સમયાંતરે સરકારની નીતિઓ, યોજનાઓ અને જાહેર હિતના મુદ્દાઓ અંગે ફેલાતી આવી ફેક ન્યૂઝનું સત્ય સામે લાવતી રહે છે.
જ્યારે પણ સંસદ, કાયદા કે કોઈ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સંબંધિત વાતો વાયરલ થાય, ત્યારે આંખ બંધ કરીને તેના પર વિશ્વાસ કરી લેવાને બદલે મુખ્યપ્રવાહના સમાચાર માધ્યમો (Mainstream News) અથવા સરકારી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ક્રોસ-ચેક કરી લેવું જોઈએ. ગેરમાર્ગે દોરનારા મેસેજ આગળ ફોરવર્ડ કરવા એ પણ એક ગુનો બની શકે છે.
ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે રાહતના સમાચાર: કોઈ જ પ્રતિબંધ નથી!
હાલના તબક્કે, ઇન્સ્ટાગ્રામ ભારતમાં અગાઉની જેમ જ બિલકુલ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે. ૨૫ ઓગસ્ટે અથવા ભવિષ્યમાં કોઈ બેન લાગવાનો નથી. તેથી દેશના તમામ યુઝર્સ કોઈ પણ ડર વગર પોતાની એપનો ઉપયોગ ચાલુ રાખી શકે છે.
ટૂંકમાં કહીએ તો, લોકશાહી દેશમાં કોઈપણ મોટા પ્લેટફોર્મ પર બેન મૂકતા પહેલાં એક ચોક્કસ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તેની સત્તાવાર માહિતી સરકાર દ્વારા આપવામાં આવે છે. તેથી ૨૫ ઓગસ્ટથી ઇન્સ્ટાગ્રામ બંધ થવાના સમાચાર ચોખ્ખી અફવા છે, જેનાથી દૂર રહેવું જ હિતાવહ છે.