અજોડ શ્રદ્ધાનું સ્થાન: આજી નદી કાંઠે વસેલું પ્રાચીન મંદિર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

જંગલેશ્વર મહાદેવના ચમત્કારિક પરચાઓની લોકકથા

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં, આજી નદીના કાંઠે વસેલું શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર આશરે 500 વર્ષ જૂનું છે. અહીં સ્વયંભૂ શિવલિંગ વિરાજમાન છે, જેને લઈ ભક્તોમાં અઢળક શ્રદ્ધા જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો મહાદેવના દર્શન માટે અહીં ઉમટે છે.

મંદિરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને લોકપ્રચલિત પરચા

Jangleshwar Mahadev Temple 1.png
આ મંદિર મીર ઉદ્યોગ પાછળ આવેલું છે અને નદીની વચ્ચે સ્થિત છે. પ્રચલિત લોકકથાના અનુસાર, 1986માં પાકિસ્તાનના કરાંચીથી લુવાણા સમાજના એક પરિવારે મહાદેવના પરચા પછી અહીં આવી દર્શન કર્યા હતા. તેઓ આજે મુંબઈમાં વસે છે અને તેમનું નામ મંદિરની અંદર લખેલું છે. મંદિરના નામ પરથી જ સમગ્ર વિસ્તાર ‘જંગલેશ્વર’ તરીકે ઓળખાય છે.

- Advertisement -

હિંદુ-મુસ્લિમ ભક્તો માટે શ્રદ્ધાનું એકરૂપ કેન્દ્ર

આ મંદિર માત્ર હિંદુઓ માટે નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો માટે પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં લાડવાના થાળ ધરાવી પૂજા થાય છે. શાંત અને પ્રાકૃતિક વાતાવરણભર્યું મંદિર ભક્તોને શારીરિક અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત કરે છે.

પાતાળ ગંગાનું ચમત્કાર અને જળની અવિરતતા

Jangleshwar Mahadev Temple 2.png

- Advertisement -

મંદિર સામે આવેલું એક ફૂટ ઊંડું વીરડો ‘પાતાળ ગંગા’ તરીકે ઓળખાય છે. માન્યતાઓ અનુસાર, આ ઝરણાનું પાણી કેટલાય ઉલેચ્યા બાદ પણ ઓછું થતું નથી. 56ના દુષ્કાળ દરમ્યાન આ પાતાળ ગંગાએ સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડ્યું હતું.

શ્રદ્ધાનો જીવંત સાક્ષી: દાદાના પરચા અને મનોકામના પૂર્ણ થવાનો વિશ્વાસ

ભક્તો માનતા હોય છે કે દાદા તેમની મનોકામનાઓ જરૂર પૂર્ણ કરે છે. એક દંપતી છેલ્લા 25 વર્ષથી સતત દર્શન માટે આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો અહીં ભક્તિભાવથી પૂજા કરે છે. શ્રાવણ માસમાં અહીં ભક્તોનો મહેરામણ જોવા મળે છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.