સોશિયલ મીડિયા પર કુનિકા સદાનંદની પોસ્ટ વાયરલ: પીએમ મોદીની વાત પર વળતો પ્રહાર, ઈન્દિરા ગાંધીના બલિદાનની કરી વાત

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
5 Min Read

‘જનતા જ કેમ બલિદાન આપે?’: પીએમ મોદીની અપીલ પર કુનિકા સદાનંદનો ધારદાર સવાલ અને ઇન્દિરા ગાંધીના ત્યાગની યાદ

ભારતીય રાજનીતિમાં અત્યારે ‘સોનું અને બલિદાન’ ચર્ચાના કેન્દ્રમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને અર્થતંત્રને મજબૂત કરવા માટે કેટલીક બાબતોમાં કાપ મૂકવાની અપીલ કરી, જેના પર વિવાદ છેડાયો છે. આ વિવાદમાં જાણીતી અભિનેત્રી અને સામાજિક કાર્યકર કુનિકા સદાનંદે ઝંપલાવ્યું છે. કુનિકાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ ટાંકીને વર્તમાન નેતૃત્વની કથની અને કરની વચ્ચેના તફાવતને ખુલ્લો પાડ્યો છે.

પીએમ મોદીની અપીલ અને જનતાનો ફાળો

હૈદરાબાદની એક રેલીમાં વડાપ્રધાન મોદીએ દેશના લોકોને સંબોધતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વધતા વિદેશી હુંડિયામણના ખર્ચને જોતા નાગરિકોએ એક વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તેમણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને ખાદ્ય તેલના વપરાશમાં ૧૦% ઘટાડો કરવાની અપીલ કરી હતી. સરકારના મતે આ દેશભક્તિનું કામ છે અને તેનાથી દેશની ઊર્જા સુરક્ષા મજબૂત થશે.

- Advertisement -

જોકે, આ અપીલ સામે વિપક્ષો અને સામાજિક કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા પાસેથી જ હંમેશા બલિદાનની અપેક્ષા કેમ રાખવામાં આવે છે?

kunika.jpg

કુનિકા સદાનંદનો પલટવાર: “સમસ્યા બલિદાનની નથી, સક્રિયતાની છે”

કુનિકા સદાનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પત્રકાર રજત શર્માના એક વીડિયોનો જવાબ આપતા પોતાની વાત રજૂ કરી હતી. રજત શર્મા પીએમની અપીલનો બચાવ કરી રહ્યા હતા કે વિદેશી મુદ્રા બચાવવામાં શું વાંધો છે? તેના જવાબમાં કુનિકાએ લખ્યું કે, “સરજી, અમે નાગરિકો હંમેશા દેશ માટે ઉભા રહ્યા છીએ. સમસ્યા બલિદાન આપવાની નથી, પરંતુ આ સમસ્યાઓને રોકવા માટે અગાઉથી જે સક્રિય પગલાં લેવા જોઈતા હતા તેની ઉણપ છે.”

- Advertisement -

કુનિકાએ નેતાઓની ‘કથની અને કરની’ પર પ્રહાર કરતા કહ્યું કે જનતાને શિખામણ આપતા પહેલા નેતાઓએ પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

ઇન્દિરા ગાંધીના ઝવેરાત અને ૧૯૬૨નું યુદ્ધ

કુનિકાએ પોતાની વાતને મજબૂત કરવા માટે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના સમયને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે દેશ પર આફત આવી હતી, ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ માત્ર જનતાને અપીલ નહોતી કરી, પરંતુ પોતે પણ પોતાના અંગત ઘરેણાં દેશના સંરક્ષણ ભંડોળમાં દાન કરી દીધા હતા.

- Advertisement -

તે સમયે દેશમાં ભારે દેશભક્તિનો જુવાળ હતો. ઇન્દિરા ગાંધીના આ પગલાથી પ્રેરાઈને સામાન્ય મહિલાઓએ પોતાના સોનાના મંગળસૂત્ર અને બાળકોએ પોતાની ગલ્લા (પિગી બેંક) તોડીને સેનાની મદદ માટે પૈસા આપ્યા હતા. કુનિકાનો તર્ક એવો છે કે જ્યારે નેતા પોતે ત્યાગ કરે છે, ત્યારે જનતા સ્વેચ્છાએ જોડાય છે.

પારદર્શિતા અને પક્ષના ભંડોળ પર સવાzલ

કુનિકાએ વર્તમાન સરકારને આરસી બતાવતા કહ્યું કે, “નેતાએ વડાપ્રધાન કલ્યાણ નિધિ (PM Cares Fund) જેવી બાબતોમાં પારદર્શિતા જાળવવી જોઈએ. જો દેશ આર્થિક સંકટમાં હોય, તો નેતાઓએ પોતાની પાર્ટીના વિશાળ ફંડમાંથી દાન આપવું જોઈએ.” તેમનો ઈશારો ભાજપ પાસે રહેલા અબજો રૂપિયાના ફંડ તરફ હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જે નેતા સાચા માર્ગ પર ચાલે છે અને પોતાના શબ્દો તથા કર્મોમાં સમાનતા રાખે છે, તેને જનતાને પ્રેરિત કરવા માટે લાંબા ભાષણોની જરૂર પડતી નથી.

રાજનીતિમાં જોડાવાની અટકળો પર વિરામ

કુનિકા જે રીતે રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવી રહી છે, તેને જોતા સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમને સવાલ કર્યો કે શું તેઓ સક્રિય રાજકારણમાં જોડાઈ રહ્યા છે? કુનિકાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું, “હું હવે ક્યારેય રાજકારણમાં નહીં આવું. હું માત્ર ભારત અને અહીંના લોકોનો અવાજ બનવા માંગુ છું. હું એવી આશા રાખું છું કે મારી વાતથી સમાજમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવી શકું.”

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.