Blood Sugar Control Tips: ડાયાબિટીસ એ આખી દુનિયામાં ઝડપથી વધી રહેલી બીમારી છે, જેનાથી આજકાલ દરેક છઠ્ઠો વ્યક્તિ પીડાઈ રહ્યો છે. ભારત પણ આ રોગથી અછૂત નથી. અહીં પણ આ રોગથી પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઇન્સ્યુલિન શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે ઘણી દવાઓ આવે છે પરંતુ તેની ઘણી આડઅસરો પણ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે નુકસાન વિના દેશી રીતે ઇન્સ્યુલિન વધારવા માગો છો, તો અંજીરના પાંદડા તેમાં તમારી મદદ કરી શકે છે. આજે અમે તમને તેની વિશેષતાઓ વિશે વિગતવાર જણાવીશું.
ડાયાબિટીસમાં અંજીરના પાન (Fig Leaves For Diabetes)
આવી રીતે કરી શકો છો સેવન
અંજીરનું ફળ તાજુ કે સૂકું બંને રીતે ખાઈ શકાય છે. તેના પાંદડામાં જબરદસ્ત એન્ટિ-ડાયાબિટીક ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અંજીરના 4-5 પાનને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તે પાણીને ચાની જેમ પીવો. જો તમે ઇચ્છો તો, તમે અંજીરના પાંદડાને સૂકવી શકો છો અને પીસી શકો છો. તેના પછી તે પીસેલા પાંદડાનો પાવડર બનાવી લો. પછી એક કપ પાણીમાં અડધી ચમચી પાવડર મિક્સ કરીને ચાની જેમ પીવો. બંને રીતે ઘણો ફાયદો થશે.
દૂર થઈ જાય છે હાડકાની નબળાઈ
જે લોકોને હાડકાંમાં (Fig Leaves For Diabetes) નબળાઈની સમસ્યા હોય છે, તેઓ અંજીરના પાનનું સેવન કરીને ફાયદો ઉઠાવી શકે છે. તેના માટે તેઓ અંજીરના પાનનો પાવડર લઈ શકે છે. તે પાંદડાઓમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાંની બોન ડેન્સિટીને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી હાડકાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.
હ્રદય રોગમાં પણ ફાયદાકરક
હ્રદય રોગથી પીડિત લોકોને પણ અંજીરના પાનનું સેવન કરવાથી ફાયદો થાય છે. હકીકતમાં તેના પાંદડામાં ઓમેગા-3 અને ઓમેગા 6 હોય છે, જે હૃદયને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, અંજીરના પાંદડામાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાયબર હોય છે, જે શરીરમાં જમા થયેલા વધારાના કોલેસ્ટ્રોલ (Cholesterol) ને દૂર કરે છે.