artificial sweetener: જો તમે વજન ઘટાડવા માટે અથવા ડાયાબિટીસના કારણે કોઈપણ કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સાવચેત રહો. તાજેતરના અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કૃત્રિમ ગળપણ હૃદયની લયને ખલેલ પહોંચાડી શકે છે. તેનો રોજ ઉપયોગ કરવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. WHOએ પણ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે.
જો તમે વજન ઘટાડવા માટે અથવા ડાયાબિટીસના કારણે કોઈપણ કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સાવચેત રહો. તાજેતરના અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કૃત્રિમ ગળપણ હૃદયની લયને ખલેલ પહોંચાડી શકે છે. તેનો રોજ ઉપયોગ કરવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં બે લીટર ઓછી કેલરીવાળા પીણાં પીનારા યુવાનોમાં અનિયમિત ધબકારાનું જોખમ 20 ટકા વધી જાય છે. WHO એ પણ તાજેતરના રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશના શહેરોમાં રહેતા લગભગ 38 ટકા લોકો આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. તે સોડા, સુગર ફ્રી ગમ સહિત અન્ય ઘણા ઉત્પાદનોમાં ઉમેરવામાં આવે છે.