દરરોજ ધૂળ, તડકો, પ્રદૂષણ તમને બાહ્ય રૂપથી નુકસાન પહોંચાડે છે ત્યાં જ અનિયમિત ખાનપાન, વધારે પડતો તળેલો-તીખો ખોરાક વગેરે જેવી આદતોથી શરીરને આંતરિક રીતે નુકસાન થાય છે. આ કારણે શરીરમાં ટોક્સિક્સ એટલે કે ઝેરીલા તત્વો જમા થાય છે. જેના કારણે ભવિષ્યમાં અનેક બીમારીઓથી ઘેરાય છે. સ્વસ્થ રહેવા માટે થોડા-થોડા સમયે શરીરમાંથી ટોક્સિક્સને કાઢવા માટે વિશેષ ઉપચાર કરવો જરૂરી છે. અહીં હળદર અને લીંબુના એવા પીણાં વિશે જણાવીશું જેનાથી સરળતાથી તમારી શરીરમાંથી ઝેરીલા દ્રવ્યો બહાર નીકળી જશે. હળદર એંટીસેપ્ટિક અને એંટી-ઈન્ફ્લેમેંટરી ગુણો ધરાવે છે. ફ્રી રેડિકલ્સને દૂર કરીને શરીરમાં કાર્સિનોજેન (કેન્સરકારક તત્વો)ને ઓછા કરે છે. બહારની ત્વચાની સુંદરતા નિખારવા માટે પણ હળદર અક્સીર છે. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે સાથે જ લચીલાપણું પણ જાળવે છે. આ સિવાય પણ વજન ઘટાડવામાં હળદર અસરકારક છે. નિયમિત રૂપે આ પીણું પીવાથી લીવર અને કિડનીમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે. જેથી શરીરમાં પોષક તત્વો શોષી લે છે અને મેટાબોલિઝમ રેટ વધારે છે. લીંબુમાં વિટામિન C અને એન્ટી ઓક્સિડંટ્સ હોય છે. લીંબુ વિટામિન Cનો મોટો સ્ત્રોત હોવાથી નિયમિત રીતે લીંબુનું સેવન કરવાથી pH બેલેંસ જળવાઈ રહે છે. સ્કીન પર પડતી કરચલીઓ પણ ઓછી કરે છે. લીંબુમાં પોટેશિયમ પણ ભરપૂર હોય છે. જે ટેન્શન તો દૂર કરે જ છે સાથે તમને એક્ટિવ પણ રાખે છે. દરરોજ સવારે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને તેમાં થોડી હળદર અને મધ નાંખીને પીવો. થોડા જ દિવસમાં તમારી ત્વચા સોફ્ટ બનશે અને નિખરશે પણ ખરી. સાથે તમને થાક લાગતો હોય, ભૂખ ન લાગતી હોય કે અપચો થતો હોય તો તે સમસ્યા પણ દૂર થશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.