તમારા ઘરમાં વડીલ વ્યક્તિને કહેતા સાંભળ્યા હશે દક્ષિણ દિશામાં ન સૂવું જોઈએ. વડીલોના કહેવા પાછળ વાસ્તુશાસ્ત્રની માન્યતા રહેલી છે. વાસ્તુવિજ્ઞાનમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવાથી અથવા તે દિશામાં મોઢું રાખીને બેસવાથી તમારી આજુબાજુ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આજે અમે તમને જણાવીશું કે દક્ષિણ દિશને અશુભ કેમ માનવામાં આવે છે.વાસ્તુ વિજ્ઞાનમાં તેની પાછળનો તર્ક છે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ પર ટકેલી છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેની ધરી ઉત્તર-દક્ષિણ બે છેડા છે. આ ચુંબકીય ક્ષેત્ર હોય છે. એટલા માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવે છે તો તે પૃથ્વીની ધરીને સમાંતર થઈ જાય છે. આ ધરીમાંથી ચુંબકીય પ્રભાવથી લોહીનાભ્રમણને અસર થાય છે. જેનાથી હાથ-પગમાં દુખાવો, કરમમાં દુખાવો, શરીરમાં ધ્રુજારી આવી શકે છે. માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં સૂવાથી ફેંફસાની ગતિ મંદ પડી જાય છે. એટલા માટે મૃત્યુ બાદ મૃતકના પદ દક્ષિણ દિશામાં કરવામાં આવે છે કે જેથી તેના શરીરમાં રહેલા જીવાંશ સમાપ્ત થઈ જાય. આ દિશાને સ્વામી યમરાજ માનવામાં આવે છે. આ દિશામાં પગ રાખીને સૂવાથી આયુષ્ય ઘટે છે તેવી પણ માન્યતા છે.
વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશાની તરફ ન હોવો જોઈએ. સાથે તિજોરીનો દરવાજો પણ દક્ષિણ દિશામાં ન ખુલે તેનું ધ્યાન રાખવું. જો તમારી તિજોરી આ દિશામાં છે તો લાભ માટે આજે જ જગ્યા બદલી નાંખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડીયાળને ક્યારેય પણ દક્ષિણની દિશામાં ન લાગવવી જોઈએ. દક્ષિણ એટલેક યમની દિશા માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર યમને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. હંમેશા ઘડીયાળાને ઉત્તર પૂર્વ તરફની દિશામાં જ લગાવવી જોઈએ.શૌચાલયમાં સીટ એવી રીતે રાખવી કે શૌચ કરતી વખતે મુખ ઉત્તર કે દક્ષિણ દિશામાં રહે અને દરવાજો હંમેશા બંધ રાખવો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.