સરગવાના પાંદડામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તેને ખાવામાં સામેલ કરવાથી ઈમ્યુનિટી વધે છે. કોરોનાકાળમાં તેની માગ વધી છે. સરગવો ઔષધીય રીતે મહત્ત્વનો છોડ છે. તેનું સતત સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તેમાં બીજા ફળ અને શાકભાજી કરતા વધારે પોષક તત્ત્વ વધારે હોય છે. તેના પાંદડામાં નાંરગી કરતાં 7 ગણું વધારે વિટામિન, દૂધ કરતા 3 ગણું કેલ્શિયમ, ઈંડા કરતા 36 ગણું મેગ્નેશિયમ છે. તેમજ પાલક કરતાં 24 ગણું વધુ આયર્ન, કેળા કરતાં 3 ગણું વધુ પોટેશિયમ મળે છે. તેનો ઉપયોગ શાકભાજી અને અથાણાં બનાવવામાં કરવામાં આવે છે.
પેટ સાથે સંબંધિત સમસ્યાને દૂર કરે છે સરગવો. કોલેરા, ઝાડા, મરડો, કમળો અને કોલાઈટિસ થવા પર તેના પાંદડાનો તાજો રસ, એક ચમચી મધ અને નાળિયેર પાણી મિક્સ કરીને પી શકાય છે. આ એક હર્બલ દવાની જેમ છે. તે ઉપરાંત સરગવાનું શાક અને અથાણું બનાવીને પણ ખાઈ શકાય છે.
સરગવાના પાંદડાનો પાવડર કેન્સર અને હૃદયના દર્દીઓ માટે એક ગુણકારી દવા છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેનો ઉપયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે.
સરગવાના પાંદડાના પાવડરનું નિયમિત રીતે સેવન કરવાથી એનિમિયા મટી જાય છે. તે બાળકોમાં કુપોષણને દૂર કરીને પોષણ આપે છે. તે એકંદર આરોગ્યને સુધારે છે અને પોષણ અને ઉર્જા આપે છે.સરગવામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન A,C અને B ભરપૂર પ્રમાણમાં હોય છે.