સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ વધતા અનેક પ્રકારના સરવે થઇ રહ્યા છે. સેલ્ફીથી પાડીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરનારા લોકો સ્વકેન્દ્રી હોય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના લોકો સ્વાર્થી અને અભિમાની હોય છે એવું સરવેમાંથી સાબિત થયું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરનારા લોકો એવું ઇચ્છતા હોય છે કે અન્ય લોકો તેમના તરફ ધ્યાન આપે, તેમની દરેક વર્તણૂકની નોંધ લે. આવા લોકો સમય જતા સ્વાર્થી અને સ્વકેન્દ્રી થતાં જાય છે.
ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી પોસ્ટ કરનારા અન્ય અભિમાની લોકોને ફોલો કરતા હોય છે અથવા એવા લોકોને ફોલો કરે છે જેઓ ઇચ્છે છે કે લોકો તેમની નોંધ લે. સરવે પ્રમાણે આ પ્રકારના લોકોનું ધીમે ધીમે એક માધ્યમ ઊભુંં થાય છે. દક્ષિણ કોરિયાની યુનિવર્સિટીએ કરેલા આ સરવેમાં સ્વપ્રશંસા પ્રેમી અને સ્વકેન્દ્રી લોકો પર ફોક્સ કરવામાંં આવ્યુ હતુ. અભ્યાસમાંં પુખ્ત વયના કુલ 276 ઇન્સ્ટાગ્રામ યૂઝર્સનો સમાવેશ કરાયો હતો. આ તમામ લોકોએ કબૂલ્યું હતુ કે તેમને સતત લોકો તેમના પર ધ્યાન આપે તે ગમે છે લોકોના કેન્દ્રમાં તેની દરેક વર્તણૂક રહે તેનાથી તે સોશિયલ મીડિયા પર ખૂશ થાય છે. તેઓ ઇચ્છે છે લોકો તેમને જુએ.
જે લોકો ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ સ્વકેન્દ્રી હોય છે. આ લોકોએ કબૂલ્યુ હતુ કે અન્ય કોઇ તેમને ફોલો કરે એ તેમને ગમે છે અને ધ્યાન કેન્દ્રી બની રહે છે.