Orange Peel
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત નારંગીને ચહેરા માટે પણ રામબાણ માનવામાં આવે છે. તેની છાલનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને સુંદર બનાવી શકો છો.
Orange Peel: નારંગી ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.
તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો.
નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે નારંગીની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.