ઉપવાસ એટલે કે દિવસ દરમિયાન કંઈ ન ખાવું અથવા તો એક નિશ્ચિત સમય દરમિયાન જ ખાવું. આ રીતે ઉપવાસ કરવાની પદ્ધતી વિશ્વના અનેક દેશોમાં અને ધર્મોમાં પ્રચલિત છે.ખાસ તો આપણા ભારતીયો વ્રત અને ઉપવાસ ખુબજ કરે છે. હિન્દુ ધર્મમાં તો વ્રત અને ઉપવાસ કરવા સ્વાભાવિક છે અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ રીતે ઉપવાસ કરવાની પરંપરા છે જેમ કે વૈશ્વવો દર અગિયારસના દિવસે ઉપવાસ કરે છે. જેમાં તેઓ જમીનની નીચે ઉગતી વસ્તુઓ અને દુધની આઇટમમાંથી બનેલી વસ્તુઓ જ ખાઈ શકે છે.શિવપંથીઓ મીઠા વગરનું ખાઈને ઉપવાસ રાખે છે અથવાતો એક ટાઇમ જ ભોજન લે છે જે મીઠા વગરનું હોય છે વ્રત નિમિત્તે રાખવામાં આવતા ઉપવાસ જેતે ઉત્સવ દરમિયાન હોય છે. જ્યારે કેટલીકવાર કોઈ ધાર્મિક લક્ષ્યને પામવા માટે પણ ધાર્મિક નીતિ નિયમો મુજબ ઉપવાસ રાખવામાં આવે છે.
જોવા જઈએ તો આ એક વણલખ્યો નિયમ છે. ક્યાંય વ્રત કે ઉપવાસ દરમિયાન સેક્સ કરવા અથવા ન કરવા અંગે કંઈ લખ્યું નથી. હકીકતમાં ઉપવાસ દરમિયાન સેક્સ કરવું કે નહીં તે વ્યક્તિ ક્યા કારણસર ઉપવાસ કરે છે તેના પર આધાર રાખે છે. જેમ કે આરોગ્ય માટે, વજન ઘટાડવા માટે કે પછી આધ્યામત્મિક કારણોસર ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.જો તમે ઉપવાસ આધ્યાત્મિક કારણે કરતા હોવ તો તમારે સેક્સથી દૂર રહેવું જોઈએ. એટલે નહીં કે તે અપવિત્ર છે પરંતુ ઉપવાસ કરવા પાછળનું કારણ મુખ્યત્વે પોતાની જાતને સામાન્ય દુનિયાની સાંસારિક વસ્તુઓથી દૂર કરવાનું હોય છે. ત્યારે સેક્સ તમારામાં સાંસારિક ભાવ પેદા કરે છે.
હિંદૂ જ નહીં ઇસ્લામ ધર્મમાં પણ વ્રત અને રમઝાનના ઉપવાસ દરમિયાન સેક્સની મનાઈ ફરમાવવામાં આવી છે. જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ સેક્સ કરે છે તેમણે કફારા એટલે કે પ્રાયશ્ચિત કરવું પડે છે. કફારા દરમિયાન તેણે પોતાના ગુલામને આઝાદી આપવી પડે છે અથવા બે સળંગ મહિના સુધી ઉપવાસ કરવો પડે છે અથવા 60 ગરીબ લોકોને જમાડવા પડે છે.બૌદ્ધ ધર્મમાં પણ ઉપવાસ અને સેક્સ અંગે કેટલીક માન્યતાઓ અને વણલખ્યા નિયમો છે. તેમાં મધ્યમ માર્ગ તરીકે જાણીતા આધ્યાત્મિક પંથના અનુયાયીયો વધુ આકરા નહીં તેવા ઉપવાસ કરે છે. તેઓ દરરોજ બપોર પછી કંઈજ ખાતા નથી. તેમજ હિંસા, ચોરી, સેક્સ, ખોટું બોલવું, વ્યસન, નૃત્ય-સંગીત સહિતની વસ્તુઓથી પણ પોતાની જાતને દૂર રાખે છે.
આ બધામાં એક વણલખ્યો નિયમ છે પ્રકૃતિનો નિયમ આપણે બધાએ સમાજમાં રહી કોઈને નુકશાન ન થાય એ રીતે ધર્મ હોય કે રીતરિવાજ તેને માનવો જોઈએ