સાવિત્રીબાઇ ફુલેનો જન્મ 3 જાન્યૂઆરી, ૧૮૩૧ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. વર્ષ ૧૮૪૦માં જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે સાથે તેમના લગ્ન થયા હતા, જ્યોતિરાવ જે બાદમાં મહાત્મા જ્યોતિબા તરીકે ઓળખાયાં તે મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજીક સુધારા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે જાણીતા ઓળખાયા હતા. સાવિત્રીબાઇ ફુલેએ એ સમયમાં સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓ તોડી પોતાના પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રીઓના અધિકાર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યાં હતા. સાવિત્રીબાઇ ફુલે ભારતની પહેલી કન્યા વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ હતા તથા પહેલી ખેડૂત શાળાના સંસ્થાપક હતા. ઇ.સ.1848માં તેમણે પૂનેમાં પહેલી મહિલા શાળા શરૂ કરી હતી. સાવિત્રીબાઇ માટે પોતાનું જીવન જાણે એક મિશન હતું, જેનો હેતુ હતો વિધવા પુનર્વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ કાઢવો, મહિલાઓની મુક્તિ અને દલિત મહિલાઓને શિક્ષણ આપવું. તેઓ મરાઠી ભાષાની આદિ કવયિત્રી તરીકે પણ ઓળખાય છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.