ઈતિહાસના પાના ઉથલાવીને જોઈઅેતો મોટા ભાગની મહારાણીઓ પોતાના સૌંદર્યથી દુનિયાભરમાં અાજે પણ અમર છે. અાજે અાપણે ભારતની અાવીજ કેટલીક રાણીઓ વિશે જેમની બહાદુરી અને બલિદાનના અાજે પણ ઉદાહરણ અાપવામાં અાવે છે.
મહારાણી સંયોગિતાએ રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણના પુતળા સાથે લગ્ન કર્યા હતા.રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાના સૌંદર્ય પર વારી ગયા હતા. ચિતોડની રાણી પદ્માવતી તેની સુંદરતા સાથે બહાદુરીના કારણે પણ ચર્ચામાં છે. રાણી પદ્માવતી ખિલજીની દાસી ન બનતા 16 હજાર મહિલાઓ સાથે જીવતે જીવ અગ્નિમાં કુદી પડી જૌહર કર્યા હતા.
રાણી લક્ષ્મીબાઈ ખુબસુરતી સાથે તેમની બહાદુરીના કારણે પણ જાણીતા છે. રાજા ગંગાધરના મૃત્યુબાદ રાણી લક્ષ્મીબાઈ અેકલે હાથે અંગ્રેજો સામે લડ્યા હતા.રાજકુમારી મીરાબાઈ કૃષ્ણભક્તિમાં લીન રહેતા. મીરાબાઈ તેમની સાદગી અને વૈરાગ્યને કારણે જગ પ્રસિદ્ધ છે.
રાણી રત્નાવતીના સૌંદર્યની ચર્ચા સાંભળી શેરશાહે દગો કરી કિલ્લા પર અાક્રમણ કર્યું રાજાએ રાણી રત્નાવતી શેરશાહના હાથમાં ન અાવે એટલે તેમની હત્યા કરી હતી.
રાણી દુર્ગાવતીએ રાજા કિર્તીસિંહ સાથે લગ્ન કર્યા હતા. 4 વર્ષના ટુંકાગાળામાં વિધવા થતા અેકલે હાથે સમગ્ર રાજ્યનો વહિવટ સંભાળ્યો હતો. અેકલા હાથે મુસ્લિમ શાસકોને ટક્કર અાપનાર પ્રથમ મહિલા હતી.