Abu Azmi મહારાષ્ટ્રમાં મસ્જિદ લાઉડસ્પીકર વિવાદ પર અબુ આઝમીનું આક્રમક વલણ
Abu Azmi મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ધૂમ મચાવતો મુદ્દો બની ગયો છે – મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકરો અંગેનો વિવાદ. સપાના ધારાસભ્ય અબુ આઝમીએ આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મળ્યા બાદ કડક પ્રતિસાદ આપ્યો છે. મીડિયા સાથે વાતચીતમાં આઝમીએ કહ્યું કે, “અજિત દાદાએ અમારા મંતવ્યો ગંભીરતાથી સાંભળ્યા છે અને તેઓ ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.”
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, “જ્યારે કોઈ અન્ય સમાજના અવાજો પર પ્રશ્ન ઊઠતો નથી, ત્યારે માત્ર મુસ્લિમો માટે નિયમો શું બદલાય છે?” આઝમીના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ મુદ્દાને માત્ર ધાર્મિક નહીં પણ રાજકીય રંગમાં પણ જોવી રહ્યા છે.
मुसलमानों पर अत्याचार हुआ तो उनके हक़ के लिए लड़ूंगा — ऐसा वादा अजित दादा ने किया था। अब मस्जिदों के लाउडस्पीकर को लेकर जो विवाद खड़ा किया जा रहा है, उस पर हम उनसे ठोस कार्रवाई की उम्मीद करते हैं। भाजपा को सारी तकलीफ़ें सिर्फ मुसलमानों से ही क्यों होती हैं?#Loudspeaker #Azan… pic.twitter.com/EWRoHmLLrq
— Abu Asim Azmi (@abuasimazmi) June 25, 2025
“ભાજપને દરેક મુશ્કેલી મુસ્લિમો સાથે જ શા માટે છે?”
અબુ આઝમીએ ભાજપ પર પણ તીખી ટિપ્પણી કરી. તેમણે પૂછ્યું કે, “ભાજપને દરેક સમસ્યા ફક્ત મુસ્લિમો સાથે જ શા માટે છે?” તેમણે કહ્યું કે ભારતમાં દરરોજ અઝાન થાય છે, પણ સૌથી વધુ સમસ્યા માત્ર મુંબઈમાં જ ઊભી કરવામાં આવે છે.
તેમણે ખાસ કરીને ભાજપના નેતા કિરીટ સોમૈયા પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ આ મુદ્દા પર બળજબરીથી તોફાન મચાવી રહ્યા છે. આઝમી અનુસાર, “અઝાન કોઈ ગુનો નથી, પણ તેનો રાજકીય લાભ લેવા માટે આ હલચલ ઉભી કરવામાં આવી રહી છે.”
“હું વિધાનસભામાં મુદ્દો નહીં ઉઠાવું, કારણ કે તોફાન વધી શકે છે”
જ્યારે અબુ આઝમીને પૂછવામાં આવ્યું કે તેઓ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે કે નહીં, ત્યારે તેમણે કહ્યું, “હું આ મુદ્દો વિધાનસભામાં નહીં ઉઠાવું, કેમ કે તેનાથી વધુ તોફાન ઊભું થઈ શકે છે. અમે પ્રશ્નોનું રાજકીય ઉકેલ શોધવા માગીએ છીએ, નફરત ભભૂકાવવાનો ઈરાદો નથી.”
“શું તમામ નિયમોનો અમલ માત્ર મુંબઇમાં જ થવો જોઈએ?”
અંતે, અબુ આઝમીએ કહ્યું કે, “દેશભરમાં અનેક નિયમો છે, પણ શું તેમનો અમલ સૌ પર સમાન રીતે થાય છે? કેમ માત્ર મુંબઇમાં કડક કાર્યવાહી થાય છે?” તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ આશા રાખે છે કે અજિત પવાર તેમની વાત પર કાયમી ઉકેલ લાવશે અને મુસ્લિમો પર કોઈ જાતિભેદ કે તોછડાઈ નહીં થવા દે.
આ નિવેદનોથી સાફ છે કે લાઉડસ્પીકર વિવાદ હવે માત્ર ધાર્મિક નહીં, પણ મહારાષ્ટ્રની રાજકીય સમીકરણોને પણ અસર કરે તેવી દિશામાં આગળ વધી રહ્યો છે.