Abu Azmi “મુસ્લિમો પણ સેનાની પાછળ ઉભા છે, છતાં શંકાની નજરે જોવાય છે”
Abu Azmi સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ગાઝા અને ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં ભારતીય મુસ્લિમોની વફાદારી અને રાષ્ટ્રીય એકતાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે આખો દેશ ભારતીય સેનાની પ્રશંસા કરી રહ્યો છે, ત્યારે મુસ્લિમો પણ તેની પાછળ સંપૂર્ણપણે ઉભા છે. છતાં, કેટલાંક તત્વો હજુ પણ તેમને શંકાની નજરે જોઈ રહ્યાં છે.
અબુ આઝમીએ પીએમ મોદીને અપીલ કરતાં કહ્યું કે તેઓ ખુલ્લેઆમ કહી જણાવે કે “દેશના મુસ્લિમોએ આતંકવાદ સામે સંપૂર્ણ સમર્થન આપી દીધું છે.” તેમનો દાવો છે કેmuslim સમુદાય દરરોજ પોતાની દેશભક્તિ સાબિત કરતો રહ્યો છે, છતાં અનેક કિસ્સાઓમાં તેમને નિશાન બનાવવામાં આવે છે.
સોફિયા પ્રકરણ અને કાશ્મીરી મુસ્લિમોનો ઉલ્લેખ
અબુ આઝમીએ કર્નલ સોફિયા કુરેશી સાથે સંબંધિત વિવાદનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે મુસ્લિમ મહિલાઓ, જેમણે સેનામાં સેવા આપી છે, તેમના ધર્મને લઈને ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું, “કોઈ દેશપ્રેમી મુસ્લિમ હોય તો પણ તેની ન્યૂનતમ ક્રિયા-પ્રતિક્રિયા પણ શંકા અને ટ્રોલિંગનો વિષય બની જાય છે.”
તેમણે જણાવ્યું કે કાશ્મીરના લોકોએ તાજેતરમાં ભારતભરના પ્રવાસીઓને ઘર આપ્યાં, સહાય કરી – જે રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. છતાં કેટલાક તત્વો સમગ્ર સમુદાયને એક જ જથ્થામાં મૂકી જજ કરે છે.
“યુદ્ધની સ્થિતિમાં એકતાની જરૂર”
આઝમીએ સ્પષ્ટ કહ્યું કે જ્યારે દેશ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હોય, ત્યારે આખો દેશ એકસાથે સેનાના મોરચે ઊભો રહે એ આવશ્યક છે. તેમણે કહ્યું, “આ સમય રાજકીય ટીકાઅલોચના કરવાનો નથી. આપણે આપણા સુરક્ષા દળોનું મનોબળ જાળવી રાખવું જોઈએ.”
તેમણે ઉમેર્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાહુલ ગાંધી વચ્ચે ચાલી રહેલી ચર્ચા સામાન્ય લોકોને ગૂંચવામા નાંખે છે. આ સમયે દેશભક્તિ, શાંતિ અને એકતાનો સંદેશ આપવા બધાંએ ભાગ લેવું જોઈએ.
“રાષ્ટ્રીય સુરક્ષા પહેલાં, રાજકારણ પછી”
અબુ આઝમીએ દેશભક્તિ માટે સમર્થન આપતા તમામ નાગરિકોનો અવાજ ઊંચો કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે મુસ્લિમો દેશવિરુદ્ધ નથી, પરંતુ દેશ માટે સમર્પિત છે. આવા સમયે હકીકતોને સમજીને તટસ્થ અભિગમ અપનાવવો જોઈએ.