Eknath Shinde શિંદેએ ઠાકરે પર પ્રહાર કર્યા: અઢી વર્ષ મારી ટીકા થઈ, પણ લોકોએ વિકાસને પસંદ કર્યો
Eknath Shinde મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ તાજેતરમાં યોજાયેલી એક રાજકીય સભામાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યના લોકો આજે વિકાસકામ કરનાર નેતાઓને પસંદ કરે છે, માત્ર ટીકા કરનારાઓને નહીં.
શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર
શિંદેએ કહ્યું, “જ્યારે હું છેલ્લાં અઢી વર્ષ મુખ્યમંત્રી હતો, ત્યારે મારી સતત ટીકા થતી હતી. છતાં લોકોએ વિકાસકાર્યોને માન्यता આપી અને ટીકા કરનારાઓને ઘેર વિદાય આપી.” તેમનું વક્તવ્ય આક્ષેપ હતું કે ઉદ્ધવ ઠાકરેના ગઠબંધનના શાસન દરમિયાન મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વિકાસને અવગણવામાં આવ્યો.
તેમણે ધારાવી પુનર્વિકાસ અંગે કહ્યું કે, “જે લોકોએ વર્ષો સુધી લોકોને ઝૂંપડપટ્ટીમાં રાખ્યા અને પોતે વૈભવી બંગલાઓમાં રહ્યાં, તેઓ આજે પુનર્વિકાસના કામથી પરેશાન છે.”
મોદીના નેતૃત્વની પ્રશંસા
શિંદેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરતા કહ્યું કે 2014માં ભારત અર્થતંત્રમાં 11મા સ્થાને હતું, જે હવે ચોથા સ્થાને પહોંચ્યું છે. “ભારત હવે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યું છે અને વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન સાકાર થતું જોવા મળે છે,” એમ તેમણે ઉમેર્યું.
તેમણે કોંગ્રેસના શાસનકાળના કૌભાંડો – જેમ કે 2G સ્પેક્ટ્રમ, કોલસા અને કોમનવેલ્થ ગોટાળાઓ – નું ઉલ્લેખ કરતા કહ્યું કે આ કૌભાંડો ભારતના આર્થિક પાયાને હચમચાવી દીધા હતા.
રાષ્ટ્રસુરક્ષા અને આત્મનિર્ભરતા પર ભાર
શિંદેએ વડાપ્રધાન મોદીની રાષ્ટ્રસુરક્ષા અને આત્મનિર્ભરતા માટેની પહેલ પર પણ પ્રકાશ પાડતાં જણાવ્યું કે હવે ભારત પોતાના યુદ્ધ જહાજો અને મિસાઈલો પણ બનાવી શકે છે. તેઓએ ઓપરેશન સિંદૂર, બ્રહ્મોસ મિસાઇલ, અને રાફેલ જેવી સફળતાઓનું ઉલ્લેખ કરીને કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિની ટીકા કરી.
શિવસેનામાં જોડાવા બદલ અભિનંદન
શિંદેએ એ પણ જણાવ્યું કે અમરાવતીના પૂર્વ ધારાસભ્ય જ્ઞાનેશ્વર ધાને પાટીલ હવે શિવસેનામાં જોડાયા છે, જે ઉદ્ધવ ઠાકરેના જૂથ માટે મોટો રાજકીય ઝટકો છે.