Maharashtra CM ફડણવીસ– પાકિસ્તાની ઉત્પાદનોના વેચાણ માટે કોઈ પણ પ્રકારની છૂટ નહીં, ઓનલાઈન પોર્ટલ્સ સામે કાયદેસર કાર્યવાહી
Maharashtra મહારાષ્ટ્ર સરકારે પાકિસ્તાની ઉત્પાદનોના વેચાણ અંગે કડક વલણ દર્શાવ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યો છે કે રાજ્યમાં પાકિસ્તાનમાં બનેલા ઉત્પાદનોનું વેચાણ ચલાવવામાં નહીં આવે અને આવા તમામ કેસોમાં FIR દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફડણવીસે જણાવ્યું હતું કે, “કેટલાંય ઓનલાઈન પોર્ટલ જેમ કે એમેઝોન અને મીશોએ પાકિસ્તાનમાં બનેલા પ્રોડક્ટ્સ વેચવાની પરવાનગી આપી છે. આના વિરોધમાં સરકારે કાર્યવાહી શરૂ કરી છે. માલેગાંવ, દિલ્હી અને મેરઠ જેવા વિસ્તારોમાં પાકિસ્તાની ઉત્પાદનોના ડીલરો મોટાપાયે સપ્લાય કરે છે – આવી પ્રવૃત્તિઓને બંધ કરવામાં આવશે.”
કેન્દ્ર સરકારે પણ ટકોર કરી, નોટિસ ફટકારી
મહત્વનું છે કે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ પણ આ મામલે પગલા લીધા છે. CCPAએ એમેઝોન, ફ્લિપકાર્ટ, યૂબાય ઇન્ડિયા, એટ્સી અને ધ ફ્લેગ કંપની સહિતના ઈ-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ ફટકારી છે.
કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ X પર લખ્યું કે, “પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સમાન છે અને આવી અસંવેદનશીલતા સહન કરવામાં નહીં આવે.” સાથે જ આ પ્લેટફોર્મને તાત્કાલિક આ સામગ્રી દૂર કરવા સૂચના આપી છે.
ઓનલાઈન પોર્ટલ્સે આપી પોતાનું પક્ષ
એમેઝોન ઇન્ડિયાએ નિવેદનમાં સ્પષ્ટતા કરી કે તે માત્ર એક માર્કેટપ્લેસ છે, જ્યાં તૃતીય પક્ષના વિક્રેતાઓ પોતાનો માલ વેચે છે. એમેઝોએ જણાવ્યું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે તમામ વિક્રેતાઓ ભારતના કાયદા અને અમારી નીતિઓનું પાલન કરે.”
વિજય વડેટ્ટીવારના નિવેદન પર ફડણવીસનો જવાબ
કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારના વિવાદાસ્પદ નિવેદન (જેમણે પાકિસ્તાનની ખરીદીમાં સરકારની નિષ્ફળતા અંગે ટીકા કરી હતી) પર ફડણવીસે કટુ પ્રતિસાદ આપ્યો: “હું મૂર્ખોને જવાબ આપતો નથી. જેમને ડ્રોન અને કૃષિ ડ્રોન વચ્ચેનો તફાવત ખબર નથી, તેમની વાતને ગંભીરતાથી લઈ શકાય નહીં.”
મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર બંને પાકિસ્તાની ઉત્પાદનોના વેચાણ સામે સક્રિય થયાં છે. રાજ્ય સ્તરે FIR સાથે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, જ્યારે કેન્દ્રએ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને કડક સૂચનાઓ આપી છે. આ મામલો માત્ર વેપારનો નહીં, રાષ્ટ્રીય સુરક્ષા અને સંવેદનશીલતા સાથે જોડાયેલો છે, તેથી હવે આવા ચીજોના વેચાણ સામે ક્યારેય સહનશીલતા બતાવવામાં નહીં આવે.