MNS Shiv Sena Alliance: સ્થાનિક ચૂંટણી પહેલા MNS-શિવસેના ગઠબંધનના સંકેતોથી રાજકીય ગરમાવો વધ્યો
MNS Shiv Sena Alliance: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ઉથલપાથલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે યોજાયેલી તાજેતરની બેઠક બાદ રાજકીય વર્તુળોમાં નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ બની છે. જો આ ગઠબંધન સાકાર બને છે, તો તે ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો આપી શકે છે.
ગઠબંધનનાં સંકેતો એ ‘ડિનર ડીપ્લોમેસી’થી શરૂ
એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે છેલ્લાં કેટલાક વર્ષોથી નિયમિત મુલાકાતો થઈ રહી છે. એપ્રિલ 2025માં શિંદે ‘શિવતીર્થ’ ખાતે રાજ ઠાકરેને મળ્યા હતા અને બંને વચ્ચે ડીનર પર ચર્ચા થઈ હતી. અગાઉ પણ તેઓ વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા અને મહાયુતિના ભાગરૂપે મળ્યા હતા.
ક્યાં શહેરોમાં આ ગઠબંધન અસરકારક બની શકે?
મહારાષ્ટ્રની મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનો – મુંબઈ, થાણે, પુણે, નાસિક, કલ્યાણ-ડોમ્બિવલી અને નવી મુંબઈ –માં જો શિવસેના (શિંદે જૂથ) અને MNS એક સાથે આવે છે, તો BJP ને મદદરૂપ બને તેવો મજબૂત હિન્દુત્વ આધાર ધરાવતો મરાઠી મતદાતાનું સમીકરણ ઊભું થઈ શકે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં MNSનું હાલે ઓછું પ્રતિનિધિત્વ હોવા છતાં તેનું મરાઠી ભાષિક સમર્થન ગઠબંધન માટે કામ આવી શકે છે.
રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેથી દૂર, શિંદેના નજીક?
રાજ ઠાકરે એક સમય ઉદ્ધવ ઠાકરે સાથે સમાન રાજકીય વિચારધારા ધરાવતા હતાં, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તેમણે ઉદ્ધવ ઠાકરેથી અંતર રાખ્યું છે. શિંદે અને રાજ બંને હિન્દુત્વ અને મરાઠી અભિમાનને મજબૂત કરીને કામ કરતા હોવાના કારણે તેમની રણનીતિ અને વલણ ઘણાં હદે સમાન ગણાય છે
ઉદ્ધવ ઠાકરે માટે પડકાર કે અવસર?
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને શક્યતાઑંધારામાં મુકાઈ શકે છે. બીજી તરફ, તેઓ NCP (શરદ પવાર જૂથ) અને કોંગ્રેસ સાથે મજબૂત માહોલ ઊભો કરી લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં, મુંબઈ અને નાસિક જેવા શહેરોમાં જ્યાં શિવસેના પાસે મજબૂત માળખું છે, ત્યાં MNS સાથેનો શિંદે જૂથનો સંભવિત ગઠબંધન મોટા ફેરફાર લાવી શકે છે.
MNS અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે ગઠબંધન હવે માત્ર અટકળ નથી, પરંતુ આગામી મહાનગર પાલિકા અને વિધાનસભા ચૂંટણીમાં એક નવી રાજકીય સમીકરણ ઊભું કરવા માટેનો હિશાબી પ્રયાસ લાગી રહ્યો છે. જો આ ગઠબંધન સાકાર થાય છે, તો મહારાષ્ટ્રના રાજકારણમાં નવા ફેરફારની શરૂઆત થઈ શકે છે, જેમાં ઉદ્ધવ ઠાકરેને નવી રણનીતિ ઘડવી પડશે.