Prakash Ambedkar statement રાહુલ ગાંધી કે શરદ પવારની હિમ્મત નથી કે ચૂંટણી વિવાદને કોર્ટમાં લઈ જઈ શકે
Prakash Ambedkar statement મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ ઊભેલા વિવાદ પર વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે આકરા નિવેદન આપ્યા છે. તેમની દાવાની મુજબ મતદાન સમય પૂરો થયા બાદ પણ લાખો મતદાન થયું હતું, જેને લઈને હવે કાયદાકીય કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે. આ મામલે ચેતન આહિરેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને 3 ફેબ્રુઆરીએ સ્વીકાર કરવામાં આવી હતી.
પ્રકાશ આંબેડકરે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ ચેતન આહિરેનું કાયદાકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આ મામલે પોતાની રીતે સંપૂર્ણ લડત આપશે. તેમણે વધુમાં કહ્યું, “હું ભારતના ચૂંટણી પંચ સામે કાયદાકીય કાર્યવાહી ચલાવી રહ્યો છું. આ ઘટનાએ દેશમાં ચૂંટણી વ્યવસ્થા પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.”
महाराष्ट्र विधानसभा चुनाव में मतदान का समय समाप्त होने के बाद 76 लाख वोट डाले गए। राहुल गांधी से लेकर शरद पवार तक किसी के पास इतनी ताकत नहीं है कि वे कोर्ट में जाकर इसका रिकॉर्ड मांग सकें।
वंचित बहुजन आघाड़ी के प्रतिनिधि चेतन अहिरे ने इसी मामले को लेकर माननीय बॉम्बे उच्च… https://t.co/KYXfQ80TKq
— Prakash Ambedkar (@Prksh_Ambedkar) June 19, 2025
આંબેડકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપીના શરદ પવાર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી કે શરદ પવારમાં એટલી તાકાત નથી કે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં થયેલા વિસંગતિઓ સામે કોર્ટમાં જઈ શકે. આવી લડાઈ માટે હિંમત, ઈમાનદારી અને લાગણી જોઈએ – જે હવે જૂના રાજકારણીઓમાં જોવા મળતી નથી.”
તેમનું માનવું છે કે વંચિત અને શોષિત સમુદાયોની વાણી કોઈ ઊંચા હોદ્દાવાળાઓ નહીં પણ જમીન સાથે જોડાયેલા નેતાઓ ઊઠાવે છે. આંબેડકરે ભારતના ચૂંટણી પંચ પર પણ પ્રશ્ન ઉઠાવતાં જણાવ્યું કે જો મતદાન સમય પૂરો થયા બાદ પણ લાખો મત પડ્યા હોય, તો એની સંપૂર્ણ તપાસ જરૂરી છે.
આ વિવાદ આગળ વધતો જાય તો મહારાષ્ટ્રની રાજકીય દિશા બદલી શકે છે. આંબેડકર અને તેમની વંચિત બહુજન આઘાડી હવે આ મુદ્દે કાયદાકીય અને જનઆંદોલન બંને માર્ગે આગળ વધવાની તૈયારીમાં છે.