Nitesh Rane હિન્દુ રાષ્ટ્ર કે ઇસ્લામિક ષડયંત્ર? ભાષા વિવાદ અને નિતેશ રાણેના ટીકા યથાવત્
Nitesh Rane મહારાષ્ટ્રમાં હાલ ચાલી રહેલા ભાષા વિવાદે રાજકીય તાપમાન ઊંચું કર્યું છે. આવા સમયમાં રાજ્ય સરકારના મંત્રી નિતેશ રાણેના વિવાદાસ્પદ અને સધડ નિવેદનો ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે જણાવ્યું કે, “હું હિન્દુ ધર્મ અને હિન્દુત્વ માટે કામ કરતો કાર્યકર છું. ભગવાન મને શક્તિ આપે, એ મારી પ્રાર્થના છે.”
ભાષા વિવાદ અંગે બોલતાં રાણેએ સ્પષ્ટ કર્યું કે, “મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા લાદવામાં આવી નથી. મરાઠી ફરજિયાત છે. જો કોઈને હિન્દી ન ગમે, તો તેઓ સંસ્કૃત પણ પસંદ કરી શકે છે.” તેમણે આ પ્રશ્નને હિન્દુ સમાજને વિભાજિત કરવાની સાજિશ ગણાવી. “આ બધા કાર્યક્રમો હિન્દુ સમાજને તોડવા માટે યોજાય છે. આપણે હિન્દુ પણ છીએ અને મરાઠી પણ. આવા વિવાદો હિન્દુ રાષ્ટ્રને ઇસ્લામિક રાષ્ટ્રમાં ફેરવવા માટે છે,” તેમ રાણેએ કહ્યું.
એટલૂ જ નહીં, નિતેશે LED માછીમારી મુદ્દે પણ પોતાનો કડક વલણ જાહેર કર્યું. “LED માછીમારી કરનાર બોટ હવે સુરક્ષિત રીતે ફેક્ટરી સુધી નહીં પહોંચે. આવા બોટ્સ સામે કાર્યવાહી થશે,” તેમ તેમણે ચેતવણી આપી. તેઓએ કહ્યું કે છેલ્લા છ મહિનામાં આ મુદ્દે કાર્યવાહી પણ થઈ છે.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક થવાના સંકેતો પર નિતેશે કહ્યું, “મને મારા માછીમાર અને કોળી ભાઈઓની ચિંતા છે, પણ જો કોઈનો પારિવારિક ઝઘડો ટળી રહ્યો હોય તો તે સારી વાત છે.”
સંજય રાઉત અંગે નિવેદનમાં તેમણે આક્ષેપ કર્યો કે, “સંજય રાઉતનો ખેડૂતો સાથે કોઈ સંબંધ નથી. તેમને ફક્ત દ્રાક્ષ સાથે સંબંધ છે – જેના પરથી તેમણે પોતાની પુત્રી માટે વાઇન ફેક્ટરી શરૂ કરી છે.”
ઉદ્ધવ ઠાકરે પર વધુ પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, “તેમના પિતા હિન્દુ ધર્મથી વેર ધરાવતા હતા. તેમને ભાજપને શીખવાડવાનો અધિકાર નથી. આજે હિન્દુઓ એક ન થાય તો આવનારા સમયમાં ઘરમાં પૂજા પણ નહીં થઈ શકે.”