Raj Thackeray જન્મદિવસે મળશું નહીં, પરંતુ દિલથી જોડાયેલા રહીશું: રાજ ઠાકરેએ કાર્યકરોને સંદેશ આપ્યો
Raj Thackeray મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના જન્મદિવસ (14 જૂન 2025)ની પૂર્વસંધ્યાએ કાર્યકરો માટે ભાવનાત્મક પત્ર લખી મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે જણાવી દીધું છે કે આ વર્ષે તેઓ જન્મદિવસે મુંબઈમાં હાજર નહીં હોય અને પરિવાર સાથે શહેરની બહાર જશે. પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય કે અંગત કારણ નથી અને આ વાતનો અન્ય રીતે અર્થઘટન ન કરવો.
રાજ ઠાકરેએ પત્રમાં લખ્યું, “મને ખબર છે કે ઘણા કાર્યકરોના મનમાં પ્રશ્ન ઊઠશે કે મારો જન્મદિવસ કેમ નહીં ઉજવાય? પણ હું દિલથી કહું છું કે એ માટે કોઈ ખાસ કારણ નથી. બસ, હું પરિવાર સાથે થોડો સમય વિતાવવા માગું છું.”
તેમણે આગળ લખ્યું, “છેલ્લાં ઘણા વર્ષોથી, મારા જન્મદિવસે તમે બધા મહારાષ્ટ્રના ખૂણાંખૂણેથી મુંબઈના શિવતીર્થ આવીને મારો સહાનુભૂતિપૂર્વક અભિવાદન કરો છો. તમારી હાજરી અને પ્રેમ મને નવી ઊર્જા આપે છે. જો મેં જીવનમાં કશું મોટું મેળવ્યું હોય, તો એ છે તમારું અપાર પ્રેમ અને સમર્પણ – જેના માટે હું જીવનભર ઋણી રહીશ.”
“આ વર્ષે શિવતીર્થ ન આવો” – ઠાકરેની અપીલ
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે આ વખતે કાર્યકરો શિવતીર્થ ન આવે. તેના બદલે, પોતપોતાના વિસ્તારોમાં જનકલ્યાણ કાર્યક્રમો ગોઠવો – જેમ કે રક્તદાન કેમ્પ, આરોગ્ય તપાસણી કે સામાજિક સેવા. “એ રીતે તમે મારી જન્મજંતિ સાચા અર્થમાં ઉજવશો,” એમ તેમણે ઉમેર્યું.
અંતે, રાજ ઠાકરેએ આશ્વાસન આપ્યું કે તેઓ ટૂંક સમયમાં કાર્યકરો સાથે ફરીથી મળશે. “હું ફરી તમને મળવા માટે મહારાષ્ટ્રના પ્રવાસે નિકળીશ, આશીર્વાદ લઉં અને વિચારવિમર્શ કરું. તમારું પ્રેમ મારી સાથે છે, એમાં મને શંકા નથી,” એમ તેમણે ઉલ્લેખ કર્યો.