મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે કે જે ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને લઇ ઉદ્ધવ ઠાકરેએ NCB પર ગુસ્સે થઈને કહ્યું કે સમગ્ર વિશ્વમાં, ગાંજા અને ચરસનો ધમધોકાર વેપાર મહારાષ્ટ્રમાં જ ચાલી રહ્યો છે, તે દરેક જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હું ફરી કહું છું કે, આપણી સંસ્કૃતિ આંગણામાં તુલસી રોપવાની છે. પરંતુ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે તુલસીની જગ્યાએ ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, તમે શા માટે આ ઇરાદાપૂર્વક કરી રહ્યા છો? એવું નથી કે તે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. મુન્દ્રા બંદરે કરોડોની ડ્રગ્સ મળી આવ્યો, મુન્દ્રા ક્યાં છે? ગુજરાત … બરાબર? એવું નથી કે આપણી પોલીસ કંઈ કરી રહી નથી.
ઠાકરેએ કહ્યું કે તમે અહીં ચુટકીભર ગાંજાની ગંધ લેનારાઓને માફિયા તરીકે કહો છો? તમે કોઈ સેલિબ્રિટીને પકડો, ફોટો લો અને ઢોલ વગાડો. અમારી મહારાષ્ટ્ર પોલીસે 150 કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરી છે. …..
3 ઓક્ટોબરના રોજ શાહરૂખ ખાનના 23 વર્ષીય આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ક્રૂઝ પર ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કરતી વખતે ધરપકડ કરી હતી. એનસીબીએ દાવો કર્યો હતો કે આર્યન ખાન ડ્રગ્સ લે છે, જોકે ડ્રગ્સ આર્યન સાથે મળી નથી. બીજી તરફ ગુરુવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે આર્યનને જામીન આપવામાં આવ્યા ન હતા. ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને આગામી સુનાવણી માટે 20 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.