મુંબઈના પાલઘરના દરિયામાં સમુદ્ર સિદ્ધિ નામનું કોમર્શિયલ જહાજ બંધ પડી જતા અટવાઈ ગયું છે વિગતો મુજબ મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી ગુજરાતના હજીરા તરફ જવા આ જહાજ રવાના થયું હતું.
રવાના થયા બાદ પાલઘર પાસે જહાજમાં ટેકનિકલ ખામી સર્જાતા જહાજ બંધ પડ્યું છે.મ
જહાજમાં કુલ 13 લોકો સવાર હોવાનું મનાય છે.
જહાજ પર હાજર એન્જિનિયરોની ટીમ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં લાગેલી છે. જો ખામી દૂર થશે તો જહાજ આગળ વધશે. જો આમ નહીં થાય તો કોસ્ટગાર્ડ દ્વારા લોકોને બચાવી લેવામાં આવશે.
સ્થાનિક પોલીસે જહાજમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડને જાણ કરતા તેઓ પહોંચ્યા છે.