દાનહ ના સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં આત્મહત્યા કર્યા મામલે મહારાષ્ટ્ર ના ગૃહ મંત્રી એ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે. મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ મામલે
કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રવક્તા સચિન સાવંત સાથે વાત કરી હતી. આ સમયે દેશમુખે જણાવ્યું કે, ડેલકરે મુંબઈમાં આવીને આત્મહત્યા કરી તેની પાછળ ન્યાય અહીંથી મળી શકશે તેવું એક કારણ હોઈ શકે તેમ જણાવી સુસાઈડ નોટમાં કેટલાક પ્રશાસકીય અધિકારીઓનાં નામ છે.
ખાસ કરીને આમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલનું નામ આવ્યું છે, પરંતુ પ્રફુલ્લ પટેલ પર કેન્દ્રના પ્રશાસકનું દબાણ હતું કે કેમ કે પછી પટેલનું તેમના પ્રશાસકીય અધિકારીઓ પર દબાણ હતું, જેને લઈ ડેલકર આત્મહત્યા કરવા પ્રેરિત થયા એવા અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા છે. ખાસ કરીને ડેલકરે મુંબઈમાં આવીને આત્મહત્યા કરી તે પરથી એવું લાગે છે કે તેમને મહારાષ્ટ્રમાંથી જ ન્યાય મળશે એવી આશા હતી. આથી અમે આ સંપૂર્ણ પ્રકરણની ઊંડાણથી તપાસ કરીશું એમ દેશમુખે જણાવ્યું હતું આમ હવે દાનહ ના સ્થાનિક કેટલાક શંકાસ્પદ નામની ચર્ચાઓ હવે શરૂ થઈ છે.